Book Title: Verno Vipak
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 123
________________ ૧૦૬ વેરનો વિપાક લીધી. એણે એક દિવસ સમરાદિત્યને બોલાવીને પૂછ્યું : ‘ખડગસેનની બે પુત્રીઓ સાથે તારો લગ્નસંબંધ બાંધવાની મેં ગોઠવણ કરી રાખી છે. બંને કુંવરીઓના વિષયમાં મેં પૂરી ખાતરી કરી લીધી છે. મને વિશ્વાસ છે કે તું મને નિરાશ નહિ કરે.” આવી બાબતોમાં સમરાદિત્ય ઉતાવળો કે ઉŃખલ નહોતો. અલબત્ત, એણે પોતાની એક આધ્યાત્મિક સૃષ્ટિ રચી હતી અને ત્યાં જ એનું મન શાંતિથી વિરમતું, એટલું છતાં એ પોતાના આપ્તજનોની સુકુમાર લાગણીઓને દુભવવા નહોતો ઇચ્છતો. વિરાગ, ઉપશમ અને શાંતિથી એ જેમ છલોછલ હતો, તેમ વિનય અને નમ્રતાના પણ મીઠા મહેરામણ જેવો હતો. વિનય, વિવેક તેમ સહાનુભૂતિ ન હોય તો ધર્મવૃક્ષ પાંગરી શકે નહિ, એમ તે માનતો. એટલે જ પિતાના પ્રસ્તાવમાં પોતાને કંઈ રસ ન હોવા છતાં એણે પોતાની સંમતિ દર્શાવી. પુરુષસિંહની આંખ સામે સોનાનો સૂરજ ઝળહળી ઊઠ્યો. એણે યુવરાજના લગ્નોત્સવની બની શકે એટલી ઝડપી અને દમામદાર તૈયારીઓ કરવાની મંત્રીઓ, અમાત્યો, સામંતો વગેરેને આજ્ઞા કરી દીધી. ઉજ્જૈનીએ થોડા દિવસ તો અમરાવતીની શોભાને લજવી દીધી. નગરમાં ઠેકઠેકાણે આનંદોત્સવ ઊછળી રહ્યો. લગ્નના આમોદઉત્સવના પ્રવાહમાં એક માત્ર સમરાદિત્ય-વરરાજા પોતે જ ઉદાસીન રહેતા હશે એમ લાગે. એક તો પોતે સર્વ પ્રકારના સ્નેહનાં બંધનોથી છૂટવા માગતા હતા. મોહ, મમતા અને રાગ-દ્વેષની જંજીરોને તોડવા મથતા હતા, તેમાં લગ્નબંધનની વધારાની બેડી એમને ન રુચે એ સ્વાભાવિક છે. પણ તે સાથે પિતાના આનંદમાં પોતે ભાગીદાર છે એ વિચારે તેઓ તૃપ્તિ અનુભવતા. તે ઉપરાંત એમને પોતાના સામર્થ્ય વિશે પણ પૂરી શ્રદ્ધા હોવી જોઈએ. બંધન માત્ર જો આંતરિક આકર્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146