Book Title: Veervijayji Janma Charitra
Author(s): Mauktik
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ વીરવિજયજી. હતું. હાલ એ પાડાનું સ્થળ મુકરર થઈ શકતું નથી, પણ અનુમાનથી બતાવી શકાય તેમ છે. એ શાંતિદાસના પાડામાં એક જણેશ્વર નામને ઔદિચ્ચ બ્રાહ્મણ રહેતો હતો. તેની સ્ત્રીનું નામ વીજકેરબાઈ હતું. એમને એક પુત્રી અને એક પુત્ર હતો: પુત્રીનું નામ ગંગા અને પુત્રનું નામ કેશવરામ. આ કેશવરામ તે આપણું ચરિત્રનાયક છે. જન્મ અને કેળવણું – એ કેશવરામને જન્મ સંવત ૧૮૨૯ના આસો શુદિ ૧૦ને રેજ થયે હતે. એને મળતો અંગ્રેજી માસ સપ્ટેમ્બર ૧૭૭૩ આવે છે. આ ઔદિચ્ય બ્રાહ્મણના પુત્રને નાનપણમાં કેવી કેળવણું મળી? એણે કયાં સુધી અભ્યાસ કર્યો ? એણે સંસ્કૃત ભાષાને અભ્યાસ નાનપણમાં કર્યો હતો કે નહિ? એ સંબંધી કાંઈ પણ હકીકત ઉપલબ્ધ થતી નથી. અનુમાન કરીએ તે તેમને તે વખતની પદ્ધતિ પ્રમાણે લખવા-વાંચવાનું, હિસાબ ગણવાનું, પત્રો લખવાનું અને પરોપાખ્યાનનું જ્ઞાન તે જરૂર નાનપણમાં મળ્યું હશે એમ ધારી શકાય. તે વખતે પણ મોટા શહેરમાં તદ્દન નિરક્ષરતા ન હતી. તેમને અંગ્રેજીનું જરા પણ જ્ઞાન ન હતું એ તેમની કૃતિઓ ઉપરથી સહેજે સમજાય તેવું છે. લન – કેશવરામના લગ્ન તેમની અઢાર વર્ષની વય થઈ તે પહેલાં થયાં હતાં. તેમની પત્નીનું નામ રળીયાત. તેમને ઘર* સંસાર કે ચાલ્યા અને કેટલે ચાલે? તેની વિગતે મળી શકતી નથી. એકંદરે સંસાર સુખી હશે એમ “નિવાણરાસ” પરથી જણાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70