Book Title: Veervijayji Janma Charitra
Author(s): Mauktik
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ (૧૮) પંડિતશ્રી એમની વ્યવહારકુશળતા એમણે અતિ ઉંડા પ્રવચનપ્રસંગમાં પણ વારંવાર આણેલ છે. એમણે ચોસઠ પ્રકારી પૂજા રચી છે ત્યાં આ પ્રાણ બાજી ભૂલ્યા છે એવી વીતક વાર્તા તેની પાસે ભગવાન સમક્ષ કબૂલ કરાવે છે. ત્યાં ભગવાન પાસે એક પ્રસંગે તે કહે છે – નિગમ એક નારી ધૂતી પણ, ઘેબર ભૂખ ન ભાંગી; જમી જમાઈ પાછો વળિયે, જ્ઞાન દશા તવ જાગી. ભૂલ્યા બાજી. ૩ અહીં વ્યવહાર સમજાવવા એક પ્રચલિત આખ્યાયિકાનો ઉપયોગ કર્યો છે. નૈગમ એટલે એક વાણુઓ હતો. તેને ઘેબર ખાવાની ખૂબ હોંશ હતી, પણ તેને તેને રોગ થતો નહતો. એક દિવસ તેણે એક સ્ત્રીને છેતરી અને એવા અપ્રમાણિક ધનથી પિતાને માટે ઘેબર તૈયાર કરાવ્યા. પોતે સ્નાન કરવા ગયે, દરમ્યાન જમાઈ આવ્યું. સાસુએ જમાઈને ઘેબર ખવરાવી દીધા. જમાઈ સામે મળે. વાણુઓ સમજ્યો કે પોતાના પ્રારબ્ધમાં ઘેબર નથી. તેને ઘેબર ખાવા ન મળ્યા. અહીં અપ્રમાણિકપણે પ્રાપ્ત કરેલ ધન અને અંતરાય કર્મને એવો સુંદર સહયોગ કર્યો છે કે વાંચનારને ખરેખર આનંદ પ્રાપ્ત થાય. કહેવાની વાત એ છે કે અતિ નાજુક શાસ્ત્રપ્રસંગે ચિતરતાં પણ એમણે વ્યવહારને વિચાર્યું નથી. પંચેપાખ્યાનની તથા ચાલુ કથાઓ, આખ્યાયિકાઓ અને દષ્ટાંતેને પૂરતા ઉપગ કર્યો છે અને સાંભળનારને બંધ થાય તે રીતે વિશુદ્ધ વ્યવહારને પિાળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70