Book Title: Tattvarthadhigama sutra
Author(s): Umaswati, Umaswami, Rajshekharsuri
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

Previous | Next

Page 5
________________ વિજયજી મહારાજ સાહેબના શિષ્યરત્ન વિદ્વદર્ય પ. પૂ. રાજશેખર વિજયજી મહારાજ સાહેબને તત્વાથધિગમ સૂત્રનું વિવેચન લખી આપવા વિનંતિ કરેલ. અને અમારી વિનંતિને સ્વીકાર કરી તેઓશ્રીએ અથાગ પ્રયત્ન દ્વારા તે પ્રમાણે સુંદર વિવેચન તૈયાર કરી આપેલ. એને સંસ્થાના અધ્યાપક પુખરાજજી અમીચંદજીએ ઝીણવટ પૂર્વક અક્ષરશઃ તપાસેલ છે. અને તેમણે સૂચવેલા કેટલાક સ્થળોએ સુધારા વિધારા પણ કરવામાં આવેલ છે. તેથી આ પુસ્તકનું પ્રકાશન કરવાને લાભ આ સંસ્થાને મળે છે. પુસ્તક પ્રકાશનમાં સંપૂર્ણ સહકાર પરમ પૂજ્ય મુનિ ભગવંત શ્રી રાજશેખર વિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી પિંડવાડા (રાજસ્થાન) જૈન સંઘ જ્ઞાન ખાતામાંથી મળે છે તે બદલ અમે પૂજ્યશ્રીને તથા પિંડવાડા જૈન સંઘને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. લેખકશ્રીએ અત્યંત કાળજી રાખવા છતાં છવાસ્થતાઆદિના કારણે અગર પ્રેસષ આદિના કારણે કંઈ પણ ખલતા રહી ગઈ હોય તે અમને જણાવવા સુજ્ઞ મહાશયને નમ્ર વિનંતિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 753