Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૯૭
સૂત્ર-૩૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ આપણે ભૂતકાળનો વર્તમાનકાળમાં આરોપ કરીને “આજે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા” એમ બોલીએ છીએ. ઘી જીવન છે એમ બોલાય છે. ઘી જીવન થોડું છે? ઘી તો જીવવાનું સાધન છે=કારણ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને “ઘી જીવન છે” એમ કહેવામાં આવે છે. નગરના લોકો રડી રહ્યા હોવા છતાં “નગર રડે છે' એમ બોલવામાં આવે છે. અહીં આધેય લોકોનો આધારરૂપ નગરમાં ઉપચાર કરવામાં આવ્યો છે. પર્વત ઉપર રહેલું ઘાસ બળવા છતાં “પર્વત બળે છે એમ કહેવામાં આવે છે. સિંહ સમાન બળવાળા માણસને “આ તો સિંહ છે' એમ સિંહ તરીકે સંબોધવામાં આવે છે. કેટલીકવાર આપણે વર્તમાનકાળમાં ભૂતકાળનો આરોપ કરીએ છીએ. જેમકે દૂધપાક તૈયાર થઈ રહ્યો છે તે વખતે કોઈ પૂછે કે- “આજે શું બનાવ્યું છે?” તો “આજે દૂધપાક બનાવ્યો છે” એમ કહેવામાં આવે છે. અહીં દૂધપાક હજી હવે બનવાનો છે, બની રહ્યો છે, છતાં “બનાવ્યો' એમ ભૂતકાળનો પ્રયોગ કરવામાં આવે છે. એ પ્રમાણે કેટલીક વાર ભવિષ્યકાળનો વર્તમાનમાં આરોપ કરીએ છીએ. કોઈ કાર્ય માટે બહાર જવાને જરા વાર હોવા છતાં ક્યારે જવાના છો?' એમ પૂછવામાં આવે તો હમણાં જ જઉં છું એમ કહેવામાં આવે છે. અહીં જવાની ક્રિયા તો ભવિષ્યકાળમાં થોડીવાર પછી થવાની છે, એથી “હમણાં જ જઈશ” એમ કહેવું જોઈએ તેના બદલે “હમણાં જ જઉં છું' એમ વર્તમાનકાળનો પ્રયોગ કરવામાં આવે છે.
આમ અનેક પ્રકારની વ્યવહારરૂઢિ લોકરૂઢિ આ નૈગમનની દૃષ્ટિથી છે.
હવે બીજી રીતે નૈગમનયને વિચારીએ. નિંગમનયના સર્વપરિક્ષેપી અને દેશપરિપી એમ બે ભેદ છે. સર્વપરિક્ષેપી એટલે સામાન્યગ્રાહી અને દેશપરિક્ષેપી એટલે વિશેષગ્રાહી. પ્રત્યેક વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભયસ્વરૂપ છે. જેમકે ઘટ. માટીની દૃષ્ટિએ ઘટવિશેષ છે, કારણ કે માટીની અનેક વસ્તુઓ બને છે. માટીની દરેક વસ્તુમાં માટી રહેલી છે. માટે માટી સામાન્ય છે અને