Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૩૫ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૩૧૯ આકૃતિ આકૃતિવાળાઓથી ભિન્ન નથી. સત્તા સત પદાર્થોથી ભિન્ન નથી. નામ વગેરે નામવાળા વગેરે વિના ન હોય. કારણ કે વિશેષની પ્રધાનતા છે.
લોકોપચાર– પર્વત બળે છે, પાત્ર ગળે છે, ઇત્યાદિ લોકોપચાર છે. વિસ્તૃત– (વિશેષોનો અને) ઉપચરિત અર્થોનો આશ્રય હોવાથી વિશાળ છે. (આર્યા-૩)
ઋજુસૂત્રનયનો અને શબ્દનયનો સંગ્રહ કરવા માટે કહે છેसाम्प्रतविषयग्राहकमृजुसूत्रनयं समासतो विद्यात् । विद्याद्यथार्थशब्दं विशेषितपदं तु शब्दनयम् ॥४॥ શબ્દાર્થ– વર્તમાનકાલીન શેયને(=વિષયને) ગ્રહણ કરનાર નયને સંક્ષેપથી ઋજુસૂત્રનય જાણવો. યથાર્થશબ્દમ્ એ પદથી શબ્દનયના એવંભૂતનયને પ્રકાશિત કરેલો જણાય છે. કારણ કે સર્વનયોમાં એ વિશુદ્ધ છે. યથાર્થશબ્દ=જેવો અર્થ હોય તેવો જ શબ્દ પ્રયોગ હોય, જેવો શબ્દપ્રયોગ હોય તેવો જ અર્થ ઘટતો હોય તો તે યથાર્થશબ્દ છે. જેમકે ઘટનો જલાહરણ આદિ અર્થ છે. એથી ઘટમાં જલાહરણ આદિ કાર્ય થતું હોય ત્યારે જ ઘટ શબ્દનો પ્રયોગ યથાર્થ છે.
સાંપ્રત અને સમભિરૂઢનો સંગ્રહ કરવા માટે કહે છે. વિશેષિતપદને શબ્દનય જાણવો.
પદ એટલે નામાદિ, અર્થાત્ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ. પ્રસિદ્ધપૂર્વવત્ (૧-૩૫ સૂત્રમાં) ઈત્યાદિથી જેના નામાદિ વિશેષતાવાળા કરાયેલા છે તે શબ્દનાય છે.
ભાવાર્થ– પૂર્વે સંજ્ઞા-સંજ્ઞી સંબંધકાળે આ ઘટાદિ પદાર્થનો આ ઘટાદિ શબ્દ વાચક છે એમ જે શબ્દ જણાયો છે તે શબ્દ પ્રસિદ્ધપૂર્વ છે. આવા પ્રસિદ્ધપૂર્વ શબ્દથી આ ઘટ શબ્દનો જ અભિધેય(=વાગ્ય) છે એવો જે ઘટાદિ પદાર્થનો બોધ તે સાંપ્રતનય છે, અર્થાત્ નામાદિ રૂપ કોઈ પણ પદાર્થનું એવા શબ્દદ્વારા કથન કરવું કે જેનો વાચ્ય-વાચક સંબંધ પૂર્વે જ્ઞાત થયેલો છે તે સાંપ્રતનય છે. (આર્યા-૪).
રૂતિ શબ્દ નયોના પુનઃ સ્મરણની સમાપ્તિનો સૂચક છે.