Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 380
________________ ૩૦૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૩૫ એવંભૂતનયનું સ્વરૂપ એવંભૂત–એવંભૂતનયનું લક્ષણ આ છે- “ચનાર્થયોરેવંપૂત” તિ, વ્યંજન એટલે શબ્દ. અર્થ એટલે શબ્દથી અભિધેય. (જેમકે ઘટ એવો શબ્દ છે. એ ઘટ શબ્દથી અભિધેય ઘટ વસ્તુ અર્થ છે.) વ્યંજન અને અર્થ એ બેનો પર્વ એટલે એ પ્રમાણે મૂત એટલે થયેલો, અર્થાત્ વ્યંજન અને અર્થ એ બેનો એ પ્રમાણે થયેલો યથાર્થ(=સાચો અથ) એ એવંભૂત છે. એ પ્રમાણેકપર્યાયના અભાવવાળામાં વાચ્ય-વાચક સંબંધ હોય અને પ્રવૃત્તિનિમિત્તની સત્તામાં થયેલો જે યથાર્થ(=સાચો અર્થ) તે એવંભૂત છે. જેમકે, ઘટ શબ્દ કટાર્થનો વાચક નથી, કેમકે ઘટ શબ્દમાં કૂટાર્થના પ્રવૃત્તિનિમિત્તનો અભાવ છે. એ પ્રમાણે ઘટ શબ્દ (જલાહરણાદિ) ચેષ્ટારહિત ઘટ અર્થનો વાચક પણ નથી. એથી જે જે પદાર્થ પણ તેની ક્રિયાથી(=જલાહરણાદિ ક્રિયાથી) રહિત છે-શબ્દાનુસાર પ્રવૃત્તિથી રહિત છે તે પદાર્થ (સ:=) યથાર્થ નથી–ઘટશબ્દથી વાચ્ય નથી. કેમકે ઘટ શબ્દનો અર્થ જણાઈ રહ્યો નથી. આથી ઘટે જ્યારે સ્ત્રીના મસ્તકે રહેલો હોય, જલાદિ લાવવાની ક્રિયા કરતો હોય, ત્યારે જ ઘટ કહેવાય છે=ઘટવાચક પણ ઘટ શબ્દ ત્યારે જ (કચ્છ=) ઘટનો વાચક બને છે તેને ઘટ કહે છે. આવા પ્રકારનો અધ્યવસાય એવંભૂતનય છે. [૭. એવંભૂતનય– જે નય વસ્તુમાં જ્યારે શબ્દની વ્યુત્પત્તિસિદ્ધ અર્થ ઘટતો હોય ત્યારે જ તે શબ્દથી તે વસ્તુને સંબોધે તે એવંભૂતનય. આ નય ગાયક તેને જ કહેશે કે જે વર્તમાનમાં ગાયન ગાતો હોય. ગાયક જ્યારે ગાયન સિવાયની ક્રિયા કરતો હોય ત્યારે તેને આ નય ગાયક નહિ કહે. રસોઇયો જ્યારે રસોઈ બનાવતો હોય ત્યારે જ તેને રસોઇયો કહેવાય. નૃપ માણસોનું રક્ષણ કરી રહ્યો હોય ત્યારે જ નૃપ કહેવાય. રાજા રાજચિહ્નોથી શોભી રહ્યો હોય ત્યારે જ રાજા કહેવાય. આ પ્રમાણે આ નય ક્રિયાભેદથી વ્યુત્પત્તિસિદ્ધ અર્થના ભેદથી અર્થભેદ માને છે. જે શબ્દનો જે અર્થ હોય તે અર્થમાં તે શબ્દની વ્યુત્પત્તિથી જે ક્રિયા જણાય તે ક્રિયા જ્યારે થતી હોય ત્યારે જ તે અર્થ માટે તે શબ્દનો પ્રયોગ કરવો જોઈએ એમ આ નય માને છે.]

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410