Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ
જ પ્રમાણ અંગુલ– એક ઉત્સવ આંગળથી ચારસો ગણો લાંબો અને અઢી ગણો જાડો [પહોળો એક પ્રમાણ અંગુલ થાય છે.
કયાંક ઉત્સવ આગળ થી એક હજાર ગણો પ્રમાણ અંગુલ કહ્યો છે. તે વિવફા ભેદ સમજવો જેમ કે ૪૦૦ આગળ લાંબી અને અઢી આંગળ પહોળી શ્રેણી હોય તેની એક આંગળ પહોળાઈ વાળી લંબાઈ ૪૦૦xરા = ૧૦૦૦આંગળ થાય ,
જ આત્માગુલ - જે કાળે જે માણસો પોતાના આગળના માપે એકસો આઠ આંગળ ઉંચા હોય, એવાઓનું “આંગળ''તે આત્માગુલ આત્માઆંગળી કહેવાય
આ એકસો આઠ આંગળના માપ કરતાં જેમનું માપ ન્યૂન કે અધિક હોય એમનું અંગુલઆંગળ આત્માં ગુલાભાસ કહેવાય છે. વાસ્તવિક આત્માગુંલ કહેવાતું નથી.
જ અંગુલથી યોજના – આપણો મૂળભૂત મુદ્દો યોજન કોને કહેવાય તે છે. - વ્યાખ્યામાં લખેલું કે જમ્બુદ્વીપ પ્રમાણ અંગુલના માપે ૧-લાખ યોજનાનો છે. તેથી અંગુલના ત્રણ ભેદ જોયા- તેમાં સર્વ પ્રથમ વ્યાખ્યા ઉત્સવ અંગુલની આપી
હવે અહીં ફરી પાછું ઉત્સવ અંગુલ થી યોજન સુધીની કોષ્ટક બનાવેલ છે. તે આ પ્રમાણે- ૬ ઉત્સધ આંગળ – એકાદ ૨ પાદે
-એક વેંત ૨ વેતે
– એક હાથ ૨ હાથે
– એક કુલી-કાંખ ૨ કુક્ષીએ
– એક ધનુષ-યુગ-મુસલ કે નાલિકા ૯૬ આંગણે – એક ધનુષ-યુગ-મુસલ કેનાલિકા ૨૦૦૦ ધનુષે – એક ગાઉ(કોસ
૪ ગાઉ/કોસ – એક યોજન -પ્રમાણાંગુલ ના માપે જે યોજન થાય – એવા અસંખ્યાત કોડાકોડી યોજનોનો એક રજજુ એટલે કે એક રાજલોક થાય છે. સ્વયંભૂરમણ સમુદ્રની પૂર્વ પશ્ચિમ બે વેદિકાઓ વચ્ચે જે અન્તર છે તેટલું એક “રજજુ' નું માન થાય છે.
સર્વપ્રાણીઓના શરીર ઉત્સધાંગુલના માપે મપાય છે. તેમ જાણવું – પર્વત પૃથ્વી આદિ શાશ્ર્વત પદાર્થ પ્રમાણઆંગળના માપે મપાય-તેવું લોકપ્રકાશમાં કહ્યું છે.
૪.મેરુપર્વત) –જબૂદીપની બરાબર મધ્યમાં આવેલામેરૂ પર્વત છે. તેના વિશે ભાષ્યકારે કેટલુંક વર્ણન કરેલું છે. અન્ય પ્રૌઢ ગ્રન્થો થી માંડીને આગમ શાસ્ત્રો પર્યન્ત તેનું વર્ણન જોવા મળે છે. તેનું યત્કિંચિત વર્ણન અહીં રજુ કરેલ છે.– સિર્વાગ સંપૂર્ણ વર્ણન તો ગ્રન્થ ગૌરવ ભયે શકય નથી .
- લોકનો નાભિભૂત એવો મેરૂ પર્વત રત્નમય કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org