Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 517
________________ ૪૮૬ સાતમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૨૪) ક્ષેત્ર-વાસ્તુ-હિરણ્ય-સુવર્ણ-ધન-ધાન્ય-દાસી-દાસ-કુષ્યપ્રમાણાતિક્રમા. (૨૪) ખેતર અને મકાન, ચાંદી અને સોનું, ધન અને અનાજ, દાસી અને દાસ તથા વાસણના પ્રમાણને ઓળંગવું તે પરિગ્રહ પરિમાણ વ્રતના અતિચાર છે. (૨૫) ઊધ્વધતિર્થવ્યતિક્રમ-ક્ષેત્રવૃદ્ધિ-સ્મૃત્યન્તર્ધાનાનિ. (૨૫) ઉપરની દિશામાં જવાના પ્રમાણને ઓળંગવું, નીચેની દિશામાં જવાના પ્રમાણને ઓળંગવુ, તીર્થો આઠે દિશામાં જવાના પ્રમાણને ઓળંગવું, ક્ષેત્રની વૃદ્ધિ કરવી અને દિશાના પ્રમાણને ભૂલી જવું એ દિશાવ્રતના અતિચારો છે. (૨૬) આનયનuષ્યપ્રયોગ-શબ્દરૂપાનુપાત-પુદ્ગલપાડ. (૨૬) નક્કી કરેલ મર્યાદાની બહારથી દ્રવ્યો મંગાવવા, કોઈકને મોકલવો, શબ્દથી જણાવવું, રૂપથી જણાવવું, પથ્થર-ઢેફા વગેરે નાંખવા એ દેશવ્રતના અતિચારો છે. (૨૭) કન્દર્પ-કૌત્કચ્ય-મૌખર્યાસમીક્ષ્યાધિકરણોપભોગાધિકત્વાનિ. (૨૭) કંદર્પ (રાગથી યુક્ત અસભ્ય વાક્યપ્રયોગ, હાસ્ય), કૌત્કચ્ય (દુષ્ટ ચેષ્ટા સહિતનો કંદર્પ), મૌખર્ય (વાચાળપણું), વિચાર્યા વિના અધિકરણ કરવા, ઉપભોગની વસ્તુઓ વધુ રાખવી એ અનર્થદંડવિરમણવ્રતના અતિચારો છે. (૨૮) યોગદુષ્મણિધાનાનાદર-ઋત્યનુપસ્થાપનાનિ. (૨૮) યોગોનો દુરુપયોગ, અનાદર અને વિસ્મરણ એ સામાયિક વ્રતના અતિચારો છે. (૨૯) અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિતોત્સર્ગાદાનનિક્ષેપસંસ્તારોપક્રમણાનાદરઋત્યનુપસ્થાપનાનિ.

Loading...

Page Navigation
1 ... 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546