Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 516
________________ સાતમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ ૪૮૫ (૧૮) શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મિથ્યાદષ્ટિની પ્રશંસા, મિથ્યાષ્ટિનો પરિચય એ સમ્યગ્દષ્ટિના અતિચારો છે. (૧૯) વ્રતશીલેષ પંચ પંચ યથાક્રમ. (૧૯) વ્રતો અને શીલોમાં ક્રમશઃ ૫-૫ અતિચારો છે. (૨૦) બન્ધ-વધ-ચ્છવિચ્છેદ-તિભારારોપણા-પાનનિરોધાઃ. (૨૦) બંધ, વધ, ચામડી કાપવી, અધિક ભાર આરોપવો, આહારપાણીનો નિરોધ કરવો એ અહિંસાવ્રતના અતિચારો છે. (૨૧) મિચ્યોપદેશ-રહસ્યાભ્યાખ્યાન-કૂટલેખક્રિયા-ન્યાસાપહારસાકારમનભેદા . (૨૧) ખોટો ઉપદેશ આપવો, એકાંતમાં કોઈની ખોટી વાત બીજાને કહેવી, ખોટા લેખ કરવા, થાપણ લઈ લેવી, આકાર ઉપરથી ગુપ્ત વાત જાહેર કરવી એ સત્યવ્રતના અતિચારો છે. (૨૨) સ્તનપ્રયોગ-તદાહતાદાન-વિરૂદ્ધરાજ્યાતિક્રમ-હીનાધિકમાનોન્માન-પ્રતિરૂપકવ્યવહારા.. (૨૨) ચોરોને પ્રેરણા કરવી, તેમની લાવેલી વસ્તુ લેવી, વિરુદ્ધ રાજ્યને ઓળંગવું, માન-ઉન્માન ઓછા-વધુ કરવા, ભેળસેળ કરવી એ અચૌર્યવ્રતના અતિચારો છે. (૨૩) પરવિવાહકરણેત્રપરિગૃહીતા-ડપરિગૃહીતાગમનાનંગક્રીડા તીવ્રકામાભિનિવેશાર. (૨૩) બીજાના વિવાહ કરવા, ઇત્રપરિગૃહીતાગમન કરવું, અપરિગૃહીતાગમન કરવું, અનંગક્રીડા કરવી, કામભોગોમાં તીવ્ર આસક્તિ રાખવી એ બ્રહ્મચર્ય વ્રતના અતિચારો છે.

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546