Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 518
________________ સાતમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ ૪૮૭ (૨૯) જોયા-પૂંજ્યા વિના મળ-મૂત્રનો ત્યાગ કરવો, લેવું-મૂકવું, સંથારો કરવો, અનાદર અને વિસ્મરણ એ પૌષધોપવાસવ્રતના અતિચારો છે. (૩૦) સચિત્ત-સંબદ્ધ-સંમિશ્રાભિષવ-દુક્વાહારાઃ. (૩૦) સચિત્તનો આહાર કરવો, સચિત્ત સંબદ્ધનો આહાર કરવો, સચિત્ત મિશ્રિતનો આહાર કરવો, જંતુમિશ્રિત કે દારૂનો આહાર કરવો, અડધા પાકેલાનો આહાર કરવો એ ઉપભોગપરિભોગ વ્રતના અતિચારો છે. (૩૧) સચિત્તનિક્ષેપ-પિધાન-પરવ્યપદેશ-માત્સર્ય-કાલાતિક્રમાઃ. (૩૧) સચિત્ત ઉપર મૂકવું, સચિત્ત ઢાંકવું, બીજાનું છે એમ કહેવું, ગુસ્સાથી ન આપવું કે ઇર્ષ્યાથી આપવું, ભિક્ષાના સમયને ઓળંગવો એ અતિથિસંવિભાગવ્રતના અતિચારો છે. (૩૨) જીવિતમ૨ણાશંસા-મિત્રાનુરાગ-સુખાનુબન્ધ-નિદાનકરણાનિ, (૩૨) જીવિતની ઇચ્છા, મરણની ઇચ્છા, મિત્ર ઉપર રાગ કરવો, સુખાનુબંધ (ભોગવેલ વિષયોનું સ્મરણ કરવું), નિયાણુ કરવું એ સંલેખનાના અતિચારો છે. (૩૩) અનુગ્રહા સ્વસ્યાતિસર્ગો દાનમ્. (૩૩) પોતાની ઉપર અને બીજાની ઉપર કૃપા કરવા માટે પોતાના અન્ન, પાણી, વસ્ત્ર વગેરે (પાત્રને) આપવા તે દાન. (૩૪) વિધિ-દ્રવ્ય-દાતૃ-પાત્ર-વિશેષાત્તદ્વિશેષઃ. (૩૪) વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્રની તરતમતાથી દાનમાં તરતમતા થાય છે.

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546