Book Title: Sutrakrutanga Sutram Part 01 Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 7
________________ કરી. એલિફન્સ્ટન કોલેજ, વિલ્સન કૅલેજ અને ગવરમેન્ટ લે કેલેજમાં ઝળકતી ફતેહ મેળવી ઉચ્ચ કારકીર્દિ સાથે ઉચ્ચકક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. સને ૧૯૨૪મા એલ.એલ બી મા પ્રથમ શ્રેણીમાં પાસ થઈ સને ૧૯૨૭માં એડકેટ (એ એસ) ની કઠણ ગણાતી પરીક્ષા પસાર કરી. મુબઈ હાઈકોર્ટમા એરિજીનલ સાઈડ પર પ્રેકટીસ શરૂ કરી તેઓશ્રીની ઉજ્જવલ કારકીર્દિ અને સેવાપરાયણ સ્વભાવને કારણે ચાહના પ્રાપ્ત કરી આ લેકચાહનાના બળથી શ્રી રતિભાઈ સને ૧૯૪૪-૪૫ માં બાર કાઉન્સીલના સભ્ય તરીકે ચૂંટાયા. સને ૧૯૪૭–૪૮માં હિદના ભાગલા થતાં બીજી સ્પેશ્યલ ટીબ્યુનલ લાહોરની અનુગામી મુંબઈની સ્પેશ્યલ ટ્રીબ્યુનલમા શ્રી રતિભાઈની નિમણુંક થઈ જે ટ્રીબ્યુનલ “સિ ધાણીયા ટ્રીબ્યુનલ” તરીકે જાણીતિ છે. આ ટ્રીબ્યુનલનું કામ પૂરું થતાં ૧૯૫૦માં મુંબઈની સિટી સિવિલ કેમ ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. આ સ્થાન પર રહ્યા તે સમય દરમ્યાન તેઓશ્રી એક સંનિષ્ઠ નિડર, અને સિદ્ધાતપ્રિય ન્યાયાધીશ તરીકે, દેશભરમાં જાણીતા થયા ઉપરોક્ત જવલત કારકીર્દિને લઈને તેઓશ્રી સને ૧૯૫૭માં મુંબઈની સિટિ સિવિલ કેટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત થયાં. આ સમય દરમ્યાન તેમની ખ્યાતિને ફેલાવે સમગ્ર ભારતમાં ઉત્તમ રીતે થયે, અનેક કઠિન સમસ્યાવાળા કેસો આવ્યા, જેમાં આરે મિલ્ક કેલની કેસ, કેડિયા ખૂન કેસ અને આહુજા ખૂન કેસમાં રત્ન સમા રતિભાઈની વિશિષ્ટ પ્રકારની છાપ ભારતની જનતામાં પડી. આહજા ખૂન કેસ જે કમાન્ડર નાણાવટી કેસ તરીકે પ્રસિદ્ધ થયો હતો. આ કેસ જ્યારે ચાલતે, ત્યારે દેશભરના લોકેની મીટ ત્યા મડાઈ હતી, દેશભરના દૈનિક વર્તમાનપત્રમાં વિગતો આવતી હતી આના જેવા અનેક મહત્વના કેસમાં તેમણે બતાવેલ ન્યાયપ્રિયતા અને હિંમત ને લઈને જ શ્રી રતિભાઈ એક નિડર, સિદ્ધાતપ્રિય, બાહોશ, સનિષ્ઠ, ન્યાયમતિ તરીકે પ્રસિદ્ધ થયા. ન્યાયમૂર્તિ તરીકેની કારકીર્દિ કીર્તિના કળશ રૂપ બની રહી સને ૧૯૬૦મા બૃહત્ મુંબઈ રાજ્યનું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજન થતાં ગુજરાત રાજ્યની અલગ હાઈકે અમદાવાદમાં સ્થપાઈ અને સને ૧૯૬૦ના જૂલાઈ માસમાં ગુજરાત હાઈકેર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિમાયા આ પદ પરથી નિવૃત થતા તેમની સેવાની કદર કરી ગુજરાત સરકારે રાજ્યની રેવન્યુ ટ્રીબ્યુનલના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી અને તેઓશ્રીએ જીવનના છેલ્લા દિવસ સુધી રાજ્યને તેમજ આમ જનતાને પિતાના જ્ઞાનને લાભ આપે. શ્રી રતિભાઈ બાહોશ અને પ્રતિમાસંપન્ન ધારાશાસ્ત્રી હતા, છતાં પણ તેઓશ્રીની લાક્ષણિકતા તે સૌજન્ય અને વિનયશીલ સ્વભાવમાં હતી. બીજાને ઉપયોગી થવા માટેPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 701