Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir
View full book text
________________
અર્થ - મનુષ્ય ચિંતવે છે કે-કાલે ધર્મકાર્ય કરીશું પરંતુ કાલ કેણે દીઠી છે; કાલે શું થશે તેની કેને ખબર છે? માટે હે ભવ્ય ! જે ધર્મકાર્ય કાલે કરવાનું હેય તેને વિલંબરહિત આજે જ કરજે-જરા પણ ઢીલ કરશે નહીં. ધર્મકાર્ય કરવામાં ખરેખર એક મુહૂર્ત માત્ર કાળ પણ ઘણા વિદનેવાળે હેય છે. માટે પાછલા પહેરે કરવાનું હેય તેને પ્રથમ પહેરમાં જ કરી લે, કારણ કે ક્ષણમાંહે આયુષ્ય પૂરું થશે તે તે વખતે શું કરશે ? ૩. ही! संसारसहाव-चरिय नेहाणुरायरत्ता वि । जे पुव्वण्हे दिहा, ते अवरण्हे न दीसन्ति ॥४॥
અથ – સંસારના સ્વભાવનું અતિકારમું ચરિત્ર દેખી ખરેખર ખેદ થાય છે-દિલગીરી ઉપજે છે, કારણ કે નેહના અનુરાગે આસક્ત અને પ્રીતિથી પરિપૂર્ણ એવા માતા-પિતા, બાંધવ, શ્રી વિગેરે સંબંધીઓ કે જેઓને પહેલે પહોરે સુખશાન્તિમાં દેખ્યા હતા તેઓ પાછલે પહેરે દેખાતા નથી ! સંસારને આ ભયંકર સ્વભાવ દેખીને પણ મુગ્ધ જીવો તેમાં જ આસક્તિ રાખે છે તે આશ્ચર્ય છે ! ૪. मा सुयह जग्गियव्वे, पलाइयवम्मि किल विसमेह । तिमि जणा अणुलग्गा, रोगो अ जरा अ मच्चू अ॥५॥
અર્થ - હે જી ! જાગવાને ઠેકાણે સુઈ ન રહે, ધર્મકૃત્યમાં પ્રમાદ ન કરે. કારણ કે કાળરૂપી પારધિ તમારી પછવાડે પડે છે, જે અણચિન્ત તમારે