Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 93
________________ अडकम्मपासबद्धो, जीवो संसारचारए ठाइ । अडकम्मपासमुक्को, आया सिवमंदिरे ठाइ ॥१३।। ' અર્થઆ જીવ આઠ કર્મરૂપ પાશથી બંધાયેલ એવો સંસારરૂપ બન્દીખાનામાં ઠામ ઠામ ભટકે છે. અને આઠ કર્મરૂપ પાશથી મૂકાયેલે એ મોક્ષમન્દિરમાં જઈને રહે છે, માટે હે જીવ! તું આઠ કર્મરૂપ પાશને તેડીશ ત્યારે જ મોક્ષમન્દિરમાં જઈશ, અને અવિનાશી સુખ પામીશ. ૧૩. विहवो सज्जणसंगो विसयसुहाई विलासललिआई । नलिणीदलग्गधोलिर-जललवपरिचंचलं सव्वं ।।१४।। ' અર્થ-આ જીવે માની લીધેલા જે સુખકારી પદાર્થો જેવા કે લક્ષમી, સગા સંબંધીઓને સંગ, તથા શ્રી વિગેરેનાં મનહર વિલાસે કરી સુંદર એવા પાંચે ઈદ્રિના વિષયસુખ, એ સર્વ અતિશય ચંચલ છે. જેમ કમળપત્રના અગ્રભાગમાં રહેલું જલબિન્દુ અતિચપલ છે તેમ એ સર્વ અતિશય ચપલ છે-ડા કાલમાં જ હતું નહતું થઈ જાય છે ! માટે હે જીવ ! આવા અસિથર પદાર્થોમાં શા માટે આસક્ત થાય છે ? ૧૪. तं कत्थ बलं तं कत्थ, जुवणं अंगचंगिमा कत्थ ? ॥ सवमणिच्च पिच्छह, दि8 नटुं कयंतेण ॥१५॥ અર્થ-કાયાનું તે બળ ક્યાં ગયું ? તે જુવાની ક્યાં ચાલી ગઈ ? શરીરનું સૌન્દર્ય કયાં ગયું ? તે સર્વ રૂપરંગ કયાં ચાલ્યા ગયા ? અરે વૃદ્ધાવસ્થા આવી ! હે પ્રાણીઓ આ સર્વ અનિત્ય છે તે સાક્ષાત્ જૂઓ

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122