Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પણ તારી બતાવે છે. દડીનેા ગુણવિચાર જોતાં જણાય છે કે, તેમણે ગુણાને માગવિભાજક તત્ત્વા તરીકે નિરૂપ્યા છે. તેમણે ગણાવેલ શ્લેષ વગેરે દસ ગુણા તે વૈદમાગના પ્રાણરૂપ છે અને ગૌડમાગમાં પ્રાયઃ તેને વિષય જોવા મળે છે (કા. ૬., ૧.૪ર).૨ આ રીતે જોતાં, એવું વિચારી શકાય કે, ક્રૂડીને મતે ગુણા એ મા વિભાજક એવા અસાધારણ ધર્મો છે, જ્યારે અલંકારા એ ઉભય માના સાધારણ ધર્મો છે. આ વિગતની તૈધ તેમણે કા. ૬. ૨-૩ માં લીધી પણ છે. તેમણે કહ્યું છે કે—
काश्विन्मार्ग विभागार्थमुक्ताः प्रागव्यलंक्रिया: । साधारणमल कारजातमन्यत् प्रदश्यते ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં, પૂર્વત્િત માગવિભાજક અલકારા દ્વારા ક્રૂ'ડી શ્લેષ વગેરે ગુણેા પ્રતિ નિર્દેશ કરતા જણાય છે. કાવ્યા'ના ટીકાકાર તરુણુવાચસ્પતિક તેાંધે છે કે, શાભાકર હાવું એ અલ કારને ધમ છે અને ગુણે કાવ્યની શાભા વધારે છે તેથી તેમને અલંકાર કહ્યા છે. જો કે, રંગાચાય. રેડ્ડીની ‘પ્રભા' ટીકામાં ઉભયમાર્ગ સાધારણ અલંકારા તથા જે તે માગ`ગત મ્રુત્યનુપ્રાસ, વૃર્ત્યનુપ્રાસ વગેરે એવા ભેદ તારવવાનેા પ્રયાસ પણ થયો છે. અર્થાત્ અલંકારમાં જ સાધારણ અને અસાધારણ એવા ભેદ તેમને અભિપ્રેત છે.
દ’ડી ‘કાવ્યશેાભાકરત્વ'ના સદ્દભ`માં ગુણેાને અલંકાર કહે છે, તે માટે એક અન્ય પ્રમાણ પણ પ્રાપ્ત થાય છે. કાવ્યાશ'ના ત્રીજા પરિચ્છેદમાં કેટલાક દોષાની અનિત્યતા વર્ણવતાં પુનરુક્ત અને સસ’શયના અદોષત્વના સંદર્ભમાં, પ્રિયા કે અર્કાર પદ્મ ગુણુના પર્યાયરૂપે જ પ્રયોજાયુ' છે. (કા. ૬. ૩.૧૩૭ તથા ૩.૧૪૧)૪ તા વિરાધની અદોષતાના સંદર્ભમાં તે માટે ગુણુ' પદ પ્રયોજાયું છે (૩–૧૯૯).૫ આમ, દેવિપ`ય કે જે કમાંક ગુણુરૂપ જણાય છે, તેને 'ડી કયારેક અલંકાર કહે છે અને તે, તેમણે આપેલ ‘અલંકાર’ની વ્યાપક વિભાવનાના અનુસંધાનમાં બરાબર બંધ બેસે છે. તેથી, કા. દ. ૨.૩માં પ્રયોજાયેલ અસમિયા પદ શ્લેષ વગેરે ગુણા માટે પ્રયોજાયુ હોય તે યથાય છે. એ પ્રમાણે વિચારતાં, એમ સમજી શકાય કે, શ્લેષાદિ ગુણે તે કેવળ વૈદ્ય માર્ગના વિશિષ્ટ અલંકારારૂપ છે, જ્યારે રૂપકાદિ અલંકારા બન્ને માના સાધારણ અલંકારો છે.
ગુણુ અને અલ કાર વચ્ચે બીજો મહત્ત્વના ભેદ એ છે કે, દૃંડીએ ગુણાને વૈદભ માગના પ્રાણ કહ્યા પરંતુ તેની અપેક્ષાએ અલંકારાનુ એવુ મહત્ત્વ તેમણે સ્પષ્ટ રીતે નિર્દેશ્યું નથી, રૂપક વગેરે અલકારા અને મામાં સાધારણ રીતે રહેલા છે એ ખરું, પણ એ જરૂરી નથી કે, કાવ્યમાં તે હાવા જ જોઈએ, જ્યારે ગુણાના અભાવમાં તા કાવ્ય “કાવ્ય” જ ન રહે. ૬ઠીએ ગુણાને જે વૈદ - માના પ્રાણ કહ્યા છે તેમાં વૈદર્ભીમા` દ્વારા તેમને ઉત્તમ શૈલીનું કાવ્ય જ અભિપ્રેત છે. શ્રી એસ. પી. ભટ્ટાચાય યોગ્ય જ કહે છે કે, દડી વૈદભ મા ના પ્રયોગ ઉપલક્ષણરૂપે કરે છે. તે દ્વારા તે બધા જ પ્રકારની સુંદર કાવ્યશૈલીના પ્રયોગને સ્વીકારે છે. આમ, એટલુ' તે સ્પષ્ટ થાય જ છે કે, દંડીએ ગુણાને ઉત્તમ કાવ્યરચના માટે આવશ્યક માન્યા છે, પરંતુ અલંકારાને તેઓ એવું મહત્ત્વ આપતા નથી. સુકુમારતા ગુણને સમાવતાં, તેના ઉદાહરણના સંક્રમ'માં 'ડીએ જે કહ્યુ` છે—(કા. ૬.–૧.૭૧)॰ તેનાથી પણ્ ઉપયુક્ત વિગતને સમ”ન મળે છે. વામનમાં તા સ્પષ્ટ રીતે અલંકારની અમેક્ષાએ ગુણુનુ અત્યધિક મહત્ત્વ સ્વીકારાય઼ છે, જેનાં ખીજ અહી જોઈ શકાય. ડૉ. દે જણાવે
કાવ્યાદર્શ'માં ગુણાલંકારવિવેક ]
રપ
For Private and Personal Use Only