Book Title: Samipya 1992 Vol 09 Ank 01 02
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે દહીમાં જે કે ગણ અને અલંકારના ભેદને વ્યવસ્થિત રીતે નિર્દેશ્યો નથી તે પણ તે અંગેની પષ્ટ રજૂઆત જે પછીના આલંકારિકામાં પ્રાપ્ત થાય છે, તેની પૂર્વ છાયા તે દંડીમાં જોવા મળે છે જ.
હવે પ્રશ્ન થાય કે, દંડી સમાધિ, એજન્મ વગેરે ગુણોને બંને માર્ગમાં આવકાર્ય માને છે તેમને માગવિભાજક એવા અસાધારણ અલંકારો કેવી રીતે માની શકાય ? અને જે તે માર્ગવિભાજક નથી, તે પછી ૩પક વગેરે માગદ્રયગત સાધારણ અલંકારોથી તેમને જુદા કેવી રીતે કહી શકાય ? આનું સમાધાન એ રીતે વિચારી શકાય કે, દંડીએ ગુણેનું જે માર્ગવિભાજકત્વ સ્વીકાર્યું છે, તે પ્રાધાન્યને આધારે જ માનવું રહ્યું, કેમ કે, વૈદભમાગમાં જ પ્રાપ્ત થતા ગુણેનું માગવિભાજકત્વ તે નિશ્ચિત છે જ. વળી, આજે ગુણ કે જે બંને માર્ગમાં પ્રાપ્ત થાય છે, એટલે કે, વૈદર્ભમાર્ગમાં ગામ
જોગુણને સ્વીકાર્ય માન્યો જ છે, જ્યારે ગૌડે તેને ગદ્ય તથા પદ્ય બનેમાં આવકારે છે. તેથી
જોગણ પણ અંશતઃ તે માગવિભાજન કરી આપે છે. માધુર્યને શ્રુત્યનુપ્રાસ ભેદ પણ માત્ર વૈદર્ભમાર્ગમાં જ પ્રાપ્ત થાય છે. પરંતુ બાકીના ગુણો તે બંને માર્ગમાં સાધારણ રીતે રહેલા છે, જેને આપણે માગવિભાજક માની શકીએ નહી. તેથી જ, એમ માની શકાય કે, મોટાભાગના ગુણે કે જે માત્ર વેદમાગમાં જ રહે છે, તેને આધારે દંડીએ તેમને માર્ગવિભાજક અલંકારો કહ્યા હોય. હા, અથવ્યક્તિ, ઉદારતા અને સમાધિ એ ત્રણ ગુણ કે જે, અને માર્ગમાં સમાન રીતે રહેલા છે તે તથા રૂપક વગેરે સાધારણ અલંકારે કાવ્યને અલંકૃત કરવાની બાબતમાં તે સામ્ય ધરાવે છે. છતાં તે બનેને એકરૂપ માની શકાય તેમ નથી. તેનું કારણ એ છે કે, દંડીએ ગુણોને કાવ્ય માટે અનિવાય તો માની, અલંકાર કરતાં તેમનું બહુ ઊંચું મૂલ્ય આંક્યું છે. સમાધિગુણને તે તેમણે “કાવ્યસર્વસ્વરૂપ કહીને કાવ્ય માટે તેની અનિવાર્યતા નિદેશી દીધી છે (કા. દ. ૧.૧૦૦) ઉદારતાને પણ અનિવાર્ય માનતા દંડી તેનાથી કાવ્યરચનાને સનાથ થતી કહે છે (કા. ૬ ૧.૭૬),૧૦ ત્યારે અર્થ વ્યક્તિ ગુણ તો નેયાથષના અભાવરૂપ છે અને નયાથદાજ તો સર્વથા પરિવાર્ય છે. ભા. દ. ૧.૫)૧૧ તેથી અર્થવ્યક્તિ ગુણ પણ કાવ્યને આવશ્યક ધમ" છે. વળી, માધુય ગુણના અસામ્યતા ભેદના નિરૂપણ પ્રસંગે દંડી અલંકારને અનિત્ય કાવ્યધમ તથા અગ્રામ્યતારૂ૫ માધુર્યને નિત્ય કાવ્યધર્મ તરીકે ઉલ્લેખે છે અને જણાવે છે કે, બધા જ શબ્દાર્થાલંકારે તેમના આશ્રયભૂત એમાં રહેલ રસની વ્યંજકતામાં ઉત્કર્ષ લાવે છે, પરંતુ અગ્રામ્યતા તો રસને વહન કરવાનો ભાર અન્યવે પોતે જ ખેંચે છે. (કા. દ. ૧.૬૨). ટૂંકમાં, ગુણેને દંડી અલંકારની અપેક્ષાએ અધિક મહત્ત્વ આપે છે.
અહીં. એક વિગત નેધપાત્ર છે કે, ગુણ તથા અલંકારની ક્રમશ: નિત્યતા અને અનિત્યતા તે દીને અભિપ્રેત છે જ, પરંતુ વામન ગુણાલંકારવિવેક પ્રસંગે, ગુણોને કાવ્યશોભાના કારક
કારોને તે કાવ્યશાભાને અતિશયિત કરનાર તો કહે છે એ વિગત દંડીના ટીકાકાર શ્રી તરણવાચસ્પતિને સ્વીકાર્ય નથી. તેઓ જણાવે છે કે, ગુણોને શોભાના હેતુ કહેવા તથા આવરને શાભાતિશય કરનારા હેતુ માનવામાત્રથી ગુણ અને અલંકારનું પાર્થકષ સ્વીકારવું ચોગ્ય નથી, કેમ કે, ગુણ અને અલંકાર વડે આપણે શાભાતિશયને જ વિચાર કરીએ છીએ. તેથી જ તરણવાચસ્પતિ ગુણ અને અલંકાર બનેને શોભાતિશયના કારકરૂપે જ સ્વીકારે છે અને તે છે. છે કે, ગુણ અને અલંકાર વચ્ચેની ભેદરેખા કોઈક બીજા જ પ્રમાણને આધારે તારવવી જોઈએ
[સામીપ્ય : એપ્રિલ, ૨-સપ્ટેમ્બર, ૧૯૯૨
For Private and Personal Use Only