Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 345
________________ ૩૦૬ શ્રી સમયસાર કરનાર કારણસમયસાર પ્રત્યે તેઓનું લક્ષ હોતું નથી. (કલશ ૨૪૩) નિશ્ચયથી દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી તે કહે છે :ववहारिओ पुण णओ दोण्णि વિ માડ઼ મો+9પદે ! णिच्छयणओ ण इच्छइ मोक्खपहे सव्वलिंगाणि ॥४१४॥ બન્ને લિંગે મોક્ષપથ, ભાખે નય વ્યવહાર; નિશ્ચયથી શિવપંથમાં, કોઈ ન લિંગ પ્રકાર. ૪૧૪ જે ખરેખર શ્રમણ અને શ્રમણોપાસક અથવા મુનિ અને ગૃહસ્થ એવા ભેદથી બે પ્રકારના દ્રવ્યલિંગ મોક્ષમાર્ગરૂપ છે, એમ પ્રરૂપણ કરાય છે તે માત્ર વ્યવહાર છે, પરમાર્થ નથી; કારણ કે તે દ્રવ્યલિંગને સ્વયં અશુદ્ધ દ્રવ્યનું અનુભવાત્મકપણું હોવાથી તેમાં પરમાર્થપણાનો અભાવ છે. અને મુનિ-ગૃહીના વિકલ્પોથી પર, દર્શનજ્ઞાનચારિત્ર-માત્ર શુદ્ધ આત્માનો જ પરના સંગ રહિત અનુભવ કરવો તે પરમાર્થ છે; કારણ કે તે ભાવલિંગને શુદ્ધ દ્રવ્યનું અનુભવાત્મકપણું હોવાથી, તેમાં પરમાર્થપણાનો સદ્ભાવ છે. તેથી જેઓ વ્યવહારને જ પરમાર્થ માનીને અનુભવ કરે છે, તેઓ સમયસારને વાસ્તવિક અનુભવતા જ નથી; પરંતુ જેઓ પરમાર્થને પરમાર્થ માનીને અનુભવ કરે છે, તેઓ સમયસારને વાસ્તવિક અનુભવે છે. એમ ૪૦૮ થી ૪૧૪ સુધી ૭ ગાથામાં દ્રવ્યલિંગની મમતા મૂકીને ભાવલિંગમાં તત્પર થવાનો ઉપદેશ કર્યો છે. આ ઉપરથી આચાર્ય દ્રવ્યલિંગનો નિષેધ કર્યો છે એમ માનવાનું નથી. માત્ર ભાવલિંગ વિનાનું જે દ્રવ્યલિંગ છે તે નિષ્ફળ હોવાથી તેનો નિષેધ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384