Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 355
________________ ૩૧૬ શ્રી સમયસાર કાળથી અસતપણું પ્રકાશતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી. ૧૧. જ્યારે જાણવામાં આવતા પરભાવના પરિણમનથી જ્ઞાયકભાવને પરભાવપણે પ્રતિપાદન કરીને જ્ઞાન નાશ પમાડાતું હોય છે ત્યારે સ્વભાવવડે સત્પણું પ્રકાશતો અનેકાંત જ તેને જિવાડે છે. ૧૨. પણ જ્યારે સર્વે ભાવો હું જ છું એમ પંરભાવને જ્ઞાયકભાવપણે પ્રતિપાદન કરીને આત્માને નાશ પમાડે છે, ત્યારે પરભાવવડે અસતપણું પ્રગટ કરતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી. ૧૩. જ્યારે અનિત્ય જ્ઞાનવિશેષવડે ખંડિત નિત્ય જ્ઞાન સામાન્ય નાશ પમાડાતું હોય છે, ત્યારે જ્ઞાનસામાન્યરૂપે નિત્યપણું પ્રકાશતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી. ૧૪. પણ જ્યારે નિત્ય જ્ઞાનસામાન્યને ગ્રહણ કરવા માટે અનિત્ય જ્ઞાનવિશેષના ત્યાગવડે આત્માને નાશ પમાડે છે, ત્યારે જ્ઞાનવિશેષરૂપે અનિત્યપણું પ્રકાશતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી. ઉપરના ૧૪ નયાના સ્પષ્ટાર્થ પૂર્વક ૧૪ કલશરૂપ કાવ્ય હવે કહે છે : (૧) યાત્ તત્ - આત્મા પોતાના સ્વરૂપે છે. જ્ઞાનસ્વરૂપ આત્મા જોય એવા બાહ્યપદાર્થોને જાણવામાં પ્રવર્તે છે તે ઉપરથી જોયમાં આસક્ત થયેલા કોઈ એકાંતવાદી અજ્ઞાની એમ કહે છે કે શેયવડે જ જ્ઞાન થાય છે. અર્થાત્ આ દેહ અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384