Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 362
________________ પરિશિષ્ટ ૩૨.૩ स्याद्वादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदन्नास्तितां त्यक्तार्थोऽपि न तुच्छतामनुभवत्याकारकर्षी परान् ॥२५५ ॥ કોઈ એકાંતવાદી અજ્ઞાની પોતાના ક્ષેત્રમાં સ્થિતિ કરવા અર્થે ભિન્ન ભિન્ન પ્રકારે પરક્ષેત્રમાં રહેલા પદાર્થોને મનમાંથી દૂર કરવા ધારતો તે પદાર્થોની સાથે ચૈતન્ય આકારોને પણ પોતે વમે છે, એમ માનીને તુચ્છતાને અનુભવતો નાશ પામે છે; અને સ્યાદ્વાદી જ્ઞાની તો પોતાના ધામમાં વસતા અને પરક્ષેત્રમાં આત્માનું નાસ્તિત્વ જાણતા, પરપદાર્થોને ત્યાગવા છતાં પર શેયાકારે આકર્ષવારૂપ જ્ઞાનશક્તિને સાધતા તુચ્છતાને અનુભવતા નથી. (કલશ ૨૫૫) (૯) કાળથી સત્ અતિ આત્મા પોતાના કાળથી વિદ્યમાન - કોઈ એકાંતવાદી (ચાર્વાક વગેરે) કહે છે કે પરદ્રવ્યનો કાળ તે જ આત્માનો કાળ છે તેથી પૂર્વે અવલંબન કરાયેલા દેહાદિના નાશથી--જેમ વૃક્ષના નાશથી છાયા નાશ પામે તેમ-આત્મા નાશ પામે છે. મરણ પછી આત્માનું અસ્તિત્વ રહેતું નથી. તેને જ્ઞાની કહે છે કે આત્મા પોતાના કાળની અપેક્ષાએ વિદ્યમાન છે તેથી દેહની સાથે નાશ પામતો નથી. શાર્દૂલવિક્રીડિત पूर्वालंबितबोध्यनाशसमये ज्ञानस्य नाशं विदन् सीदत्येव न किंचनापि कलयन्नत्यंततुच्छः पशुः । अस्तित्वं निजकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनः . . पूर्णस्तिष्ठति बाह्यवस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि ॥२५६ ।। પૂર્વે અવલંબન કરાયેલા જોય એવા દેહાદિનો નાશ થતી વખતે જ્ઞાનનો નાશ થતો જાણીને આત્માને કંઈ પણ ભિન્ન ન Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384