Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 366
________________ ૩૨૭ પરિશિષ્ટ स्याद्वादी तु चिदात्मना परिमृशंश्चिद्वस्तु नित्योदितं टंकोत्कीर्णघनस्वभावमहिमा ज्ञानं भवन् जीवति ॥२६०॥ એકાંતવાદી અજ્ઞાની પશુ ઉત્પત્તિ ને નાશના લક્ષણને ધારણ કરતા જ્ઞાનના અંશોની અનેકતાને જાણવાથી ક્ષણે ક્ષણે પલટાતા એવા પર્યાયના સંગમાં પડેલો ઘણું કરીને નાશ પામે છે; અને સ્યાદ્વાદી જ્ઞાની તો ચૈતન્ય સ્વરૂપ આત્માવડે નિત્ય પ્રગટ એવી ચૈતન્ય વસ્તુને વિચારતા કોઈ કાળે નાશ ન થાય એવા ટંકોત્કીર્ણ ઘનસ્વભાવ મહિમાવાળા જ્ઞાનરૂપ થતા જીવે છે. (કલશ ૨૬૦) (૧૪) થાત્ નિત્ય- આત્મા પર્યાયની અપેક્ષાએ અનિત્ય : છે. કોઈ એકાંતવાદી જ્ઞાન સામાન્ય અથવા નિત્ય એવા આત્મદ્રવ્યને એકાન્ત પ્રાપ્ત કરવા માટે નાશવંત એવા સર્વ જ્ઞાનવિશેષોને ત્યાગ કરવાનું કહે છે. તેને સ્યાદ્વાદી જ્ઞાની કહે છે કે જ્ઞાનસ્વરૂપ આત્મા ભિન્ન ભિન્ન જ્ઞયને જાણવામાં અવશ્ય પરિણમે છે. તેથી એ રીતે પલટાતા જ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ જ્ઞાન અનિત્ય પણ છે. શાર્દૂલવિક્રીડિત टंकोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया वांछत्युच्छलदच्छचित्परिणतेर्भिन्नं पशुः किंचन । ज्ञानं नित्यमनित्यतापरिगमेऽप्यासादयत्युज्ज्वलं स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तुवृत्तिक्रमात् ॥२६१॥ એકાંતવાદી અજ્ઞાની પશુ સંકોત્કીર્ણ વિશુદ્ધ જ્ઞાનવિસ્તારના આકારરૂપ આત્મતત્ત્વની આશાથી ઊછળતી નિર્મળ ચૈતન્યની પરિણતિથી જુદું કંઈક ઇચ્છે છે; અને સ્યાદ્વાદી તો ચૈતન્ય વસ્તુની વૃત્તિ-પરિણતિના ક્રમથી પર્યાયની અનિત્યતાને વિચારતો Jain Educationa International - For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384