Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 371
________________ ૩૩૨ શ્રી સમયસાર ૮. સર્વ ભાવમાં જાણવારૂપે વ્યાપવા છતાં એકરૂપ એવી વિભુત્વશક્તિ. ૯. સમસ્ત વિશ્વને દેખવારૂપે સામાન્યભાવે પરિણમનારી સર્વદર્શિત્વશક્તિ. ૧૦. સમસ્ત વિશ્વને જાણવારૂપે વિશેષભાવે પરિણમનારી સર્વજ્ઞત્વશક્તિ. ૧૧. રૂપ રહિત એવા સ્વચ્છ આત્મપ્રદેશોમાં પ્રતિબિંબિત થતા લોકાકારમાં મેચક-ભિન્ન ભિન્ન ઉપયોગવાળી સ્વચ્છત્વશક્તિ. ૧૨. પોતે પોતાને જાણવારૂપે સ્વયંપ્રકાશમાન નિર્મળ સ્વસંવેદનરૂપ - પ્રકાશશક્તિ. ૧૩. ક્ષેત્ર અને કાલની અપેક્ષાથી ફેરફાર ન પામતા ચૈતન્યવિલાસરૂપ અસંકોચવિસ્તારશક્તિ. ૧૪. અન્યવડ ન કરાતા અને અન્યને ન કરતા એવા એક દ્રવ્યવાળી અકાર્યાકરણશક્તિ. ૧૫. પરના નિમિત્તે થતા જોયાકારને ગ્રહણ કરાવવારૂપ અને પોતાને નિમિત્તે થતા જ્ઞાનાકારને ગ્રહણ કરવારૂપ સ્વભાવવાળી પરિણમ્યપરિણામકત્વશક્તિ. ૧૬. જૂનાધિક સ્વરૂપે ન થતી એવી નિયત રૂપવાળી ત્યાગઉપાદાનશૂન્યત્વશક્તિ. ૧૭. પગુણી વૃદ્ધિ હાનિરૂપે પરિણમેલી છતાં સ્વરૂપસ્થિરતાનું કારણ એવી વિશિષ્ટ ગુણવાળી અગુરુલઘુત્વશક્તિ. ૧૮. ક્રમવર્તી અને અક્રમવર્તી લક્ષણવાળી એટલે પર્યાય અને ગુણોથી યુક્ત એવી ઉત્પાદત્રયÚવત્વશક્તિ. ૧૯. દ્રવ્યના સ્વભાવભૂત ધ્રૌવ્ય અને ઉત્પાદવ્યયથી જણાતા સમાન રૂપવાળી અને અસમાન રૂપવાળી છતાં એક માત્ર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384