Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
પરિશિષ્ટ
૩૧૯
एकद्रव्यतया सदाप्युदितया भेदभ्रमं ध्वंसयत्रेकं ज्ञानमबाधितानुभवनं पश्यत्यनेकांतवित् ॥२५०॥
બાહ્ય શેય પદાર્થોને ગ્રહણ કરવારૂપ સ્વભાવના ભારથી વિચિત્રપણે પ્રતિબિંબિત થતા અનેક શેયાકારો વડે આત્માની શક્તિ ખંડ ખંડ થઈને ચારે તરફથી તૂટી જાય છે, એમ માનનાર અજ્ઞાની પશુ આત્માને એકાંતે અનેક માનીને તેનો નાશ કરે છે; અને અનેકાંતને જાણનાર જ્ઞાની એક દ્રવ્યપણે સદા પ્રગટ રહેવાવડે ભેદના ભ્રમને દૂર કરતા અબાધિત અનુભવરૂપ જ્ઞાનને એકરૂપે જાએ છે.
(કલશ ૨૫૦) (૪) ચાતું અને આત્મા શેયની અપેક્ષાએ અનેક પણ છે.
કોઈ એકાંતવાદી આત્માને સર્વ શેયોના પ્રતિબિંબોથી રહિત એકાંતે શુદ્ધજ્ઞાનાકાર એકરૂપે કરવા ધારીને તેનો નાશ કરે છે (અર્થાત્ એવી મિથ્યા માન્યતાને કારણે તેઓ આત્માનો અનુભવ કરી શકતા નથી); તેને સ્યાદ્વાદી કહે છે કે જ્ઞાનનો સ્વભાવ અનેક યોને પ્રતિબિંબિત કરવાનો છે તે દૂર કરી શકાય નહીં, તેથી જ્ઞાનસ્વરૂપ આત્મા શેયની અપેક્ષાએ અનેક પણ છે.
શાર્દૂલવિક્રીડિત ज्ञेयाकारकलंकमेचकचिति प्रक्षालनं कल्पयनेकाकारचिकीर्षया स्फुटमपि ज्ञानं पशुर्नेच्छति । वैचित्र्येऽप्यविचित्रतामुपगतं ज्ञानं स्वतः क्षालितं पर्यायैस्तदनेकतां परिमृशन् पश्यत्यनेकांतवित् ॥२५१॥
શેયને જાણવાથી અમેચક-શુદ્ધ અભેદ-આત્મામાં શેયાકારની અનેતારૂપ કલંક લાગે છે તેને ધોઈ નાખવાની કલ્પના કરતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384