Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 359
________________ ૩૨૦ શ્રી સમયસાર અને એ રીતે આત્માને એકાકાર કરવા ઈચ્છતા કોઈ અજ્ઞાની પશુ પ્રગટ એવા જ્ઞાનને ઇચ્છતા નથી; અને અનેકાંતને જાણનાર જ્ઞાની તો શેયની વિચિત્રતામાં પણ પોતે વિચિત્ર થતું નથી એવું જે સ્વતઃશુદ્ધ જ્ઞાન તેની પર્યાયોવડે અનેકતા છે એમ વિચારતા જોયની અનેકતા સહિત જ્ઞાનાત્માને જુએ છે. (લશ ૨૫૧) (૫) દ્રવ્યથી થાત્ પ્તિ આત્મા પોતાના દ્રવ્યની અપેક્ષાએ વિદ્યમાન છે. આત્મા દેહાદિ શેયને જાણે છે, તે દેહાદિ સ્થલપણે પ્રગટ હોવાથી કોઈ એકાંતવાદી નાસ્તિક દેહાદિને જ માને છે અને કહે છે કે તે શેય પદાર્થો છે પરંતુ આત્મા નથી. તેને સ્યાદ્વાદી કહે છે કે શેયથી ભિન્ન એવો આત્મા પોતાના સ્વરૂપે અવશ્ય વિદ્યમાન છે. શાર્દૂલવિક્રીડિત प्रत्यक्षालिखितस्फुटस्थिरपरद्रव्यास्तितावंचितः स्वद्रव्यानवलोकनेन परितः शून्यः पशुर्नश्यति । स्वद्रव्यास्तितया निरूप्य निपुणं सद्यः समुन्मज्जता स्याद्वादी तु विशुद्धबोधमहसा पूर्णो भवन् जीवति ॥२५२॥ ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ જણાતા પ્રગટ સ્કૂલપણે સ્થિર રહેલા પુદ્ગલાદિ પરદ્રવ્યોની અસ્તિતાથી ભ્રાંતિમાં પડેલો અને તે પ્રમાણે પોતાના આત્માને ન જોઈ શકવાથી, આત્માને સર્વથા શૂન્ય માનતો અજ્ઞાની નાશ પામે છે; અને સ્યાદ્વાદી જ્ઞાની તો નિપુણપણે પોતાના આત્મદ્રવ્યને અસ્તિપણે વિચારીને તત્કાળ પ્રગટ થતા વિશુદ્ધ બોધ (આત્મજ્ઞાન)રૂપ તેજ વડે પૂર્ણ થતા જીવે છે. (કલશ ૨પર) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384