________________
૩૧૬
શ્રી સમયસાર
કાળથી અસતપણું પ્રકાશતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી.
૧૧. જ્યારે જાણવામાં આવતા પરભાવના પરિણમનથી જ્ઞાયકભાવને પરભાવપણે પ્રતિપાદન કરીને જ્ઞાન નાશ પમાડાતું હોય છે ત્યારે સ્વભાવવડે સત્પણું પ્રકાશતો અનેકાંત જ તેને જિવાડે છે.
૧૨. પણ જ્યારે સર્વે ભાવો હું જ છું એમ પંરભાવને જ્ઞાયકભાવપણે પ્રતિપાદન કરીને આત્માને નાશ પમાડે છે, ત્યારે પરભાવવડે અસતપણું પ્રગટ કરતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી.
૧૩. જ્યારે અનિત્ય જ્ઞાનવિશેષવડે ખંડિત નિત્ય જ્ઞાન સામાન્ય નાશ પમાડાતું હોય છે, ત્યારે જ્ઞાનસામાન્યરૂપે નિત્યપણું પ્રકાશતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી.
૧૪. પણ જ્યારે નિત્ય જ્ઞાનસામાન્યને ગ્રહણ કરવા માટે અનિત્ય જ્ઞાનવિશેષના ત્યાગવડે આત્માને નાશ પમાડે છે, ત્યારે જ્ઞાનવિશેષરૂપે અનિત્યપણું પ્રકાશતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી.
ઉપરના ૧૪ નયાના સ્પષ્ટાર્થ પૂર્વક ૧૪ કલશરૂપ કાવ્ય હવે કહે છે :
(૧) યાત્ તત્ - આત્મા પોતાના સ્વરૂપે છે.
જ્ઞાનસ્વરૂપ આત્મા જોય એવા બાહ્યપદાર્થોને જાણવામાં પ્રવર્તે છે તે ઉપરથી જોયમાં આસક્ત થયેલા કોઈ એકાંતવાદી અજ્ઞાની એમ કહે છે કે શેયવડે જ જ્ઞાન થાય છે. અર્થાત્ આ દેહ અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org