SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૩૧૫ ૪. પણ જ્યારે એક જ્ઞાનાકારને ગ્રહણ કરવા માટે અનેક જોયાકારના ત્યાગવડે આત્માને નાશ પમાડે છે, ત્યારે પર્યાયોવડે અનેકપણું પ્રકાશતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી. ૫. જ્યારે જાણવામાં આવતા પરદ્રવ્યના પરિણમનથી જ્ઞાતાદ્રવ્યને પરદ્રવ્યપણે પ્રતિપાદન કરીને જ્ઞાન નાશ પમાડાતું હોય છે, ત્યારે સ્વદ્રવ્યથી સતપણું પ્રકાશતો અનેકાંત જ તેને જીવિત કરે છે. ૬. પણ જ્યારે સર્વ દ્રવ્યો હું જ છું એમ પરદ્રવ્યને જ્ઞાતાદ્રવ્યપણે પ્રતિપાદન કરીને આત્માને નાશ પમાડે છે, ત્યારે પરદ્રવ્યવડે અસપણું પ્રકાશતો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી. ૭. જ્યારે પરક્ષેત્રે રહેલા શેયપદાર્થના પરિણમનથી પરક્ષેત્રવડે જ્ઞાનનું હોવાપણું પ્રતિપાદન કરીને જ્ઞાન નાશ પમાડાતું હોય છે, ત્યારે સ્વક્ષેત્રવડે જ્ઞાનનું હોવાપણું પ્રકાશતો અનેકાંત જ તેને જિવાડે છે. ૮. પણ જ્યારે સ્વક્ષેત્રમાં રહેવા માટે પરક્ષેત્રે રહેલા શેયાકારોના ત્યાગવડે જ્ઞાનને તુચ્છ કરતા આત્માને નાશ પમાડે છે, ત્યારે સ્વક્ષેત્રમાં રહીને જ જ્ઞાનનો પારક્ષેત્રે રહેલા જ્ઞયાકારે પરિણમવાને સ્વભાવ હોવાથી પરક્ષેત્રમાં નાસ્તિપણું પ્રકાશનો અનેકાંત જ તેને નાશ પામવા દેતો નથી. ૯. જ્યારે પૂર્વે અવલંબન કરાયેલા પદાર્થના વિનાશકાલે જ્ઞાનનું અસત-પણું પ્રતિપાદન કરીને જ્ઞાન નાશ પમાડાતું હોય છે, ત્યારે સ્વકાળવડે સત્પણું પ્રકાશતો અનેકાંત જ તેને જિવાડે છે. ૧૦. પણ જ્યારે પદાર્થના અવલંબન કાળમાં જ જ્ઞાનનું હોવાપણું પ્રતિપાદન કરીને આત્માને નાશ પમાડે છે, ત્યારે પરના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy