Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 348
________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ૩૦૯ સિદ્ધ થયું કે ઉપયોગને શુદ્ધાત્મામાં સ્થિર કરવારૂપ જે ભાવશ્રુતજ્ઞાન અથવા ક્ષયોપશમભાવ છે તે જ મોક્ષનું કારણ છે. તે ભાવશ્રુત અથવા સદ્ભુત થવામાં દર્શનમોહ અને ચારિત્રમોહનો ઉપશમ, લયોપશમ કે ક્ષય એ હેતુ છે. તેથી પંચાસ્તિકાય ગાથા પ૬ની ટીકામાં કહ્યું છે કે - मोक्षं कुर्वंति मिश्रौपशमिकक्षायिकाभिधाः । बंधमौदयिको भावो, निष्क्रियः पारिणामिकः ॥ ભાવાર્થ - ક્ષયોપશમ, ઉપશમ, અને ક્ષાયિક એ ત્રણ નામવાળા ભાવો મોક્ષનાં કારણ છે, મોહના ઉદય સહિત ઔદયિકભાવ બંધનું કારણ છે અને શુદ્ધપારિણામિકભાવ નિષ્ક્રિય હોવાથી બંધમોક્ષનું કારણ નથી. માલિની अलमलमतिजल्पैर्दुर्विकल्पैरनल्पैरयमिह परमार्थ श्चेत्यतां नित्यमेकः । स्वरसविसरपूर्ण ज्ञानविस्फूर्तिमात्रा न खलु समयसारादुत्तरं किंचिदस्ति ॥२४४ ॥ ઘણા મિથ્યા વિકલ્પોવડે બહુ કહેવાથી સર્યું. અહીં આ એક જ પરમાર્થ હંમેશાં ચિંતવવો કે પોતાના રસનો વિસ્તાર થવાથી પ્રગટ થતા પૂર્ણજ્ઞાનની માત્ર સ્કુરણારૂપ જે સમયસાર છે, તેનાથી અધિક વાસ્તવિક બીજું કંઈ નથી. “આત્માથી સૌ હીન–અર્થાત્ આ જગતમાં સમયસાર જ સર્વશ્રેષ્ઠ છે. (કલશ ર૪૪) અનુરુપ इदमेकं जगच्चक्षुरक्षयं याति पूर्णताम् । विज्ञानघनमानंदमयमध्यक्षतां नयत् ॥२४५ ॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384