Book Title: Samaysara
Author(s): Kundakundacharya, Sakarben Shah
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 346
________________ ૯. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર કર્યો છે. જે મુનિઓ તથા શ્રાવકો મુનિવેષ, વ્રત, નિયમ આદિ બાહ્યક્રિયારૂપ વ્યવહારને જ પોતાનું ધ્યેય માનતા હતા તેઓને આત્માના શુદ્ધભાવરૂપ નિશ્ચયમોક્ષમાર્ગનો ઉપદેશ કરવા આચાર્યે આ સમયસાર ગ્રંથ રચ્યો છે. ભાવલિંગથી જ મોક્ષ છે એમ કહ્યું તેથી દ્રવ્યલિંગનો નિષેધ નથી કર્યો, પરંતુ મોક્ષમાર્ગમાં નિશ્ચયની મુખ્યતા બતાવી છે. વ્યવહાર છે તે નિશ્ચયનું બહિરંગ સહકારી કારણ છે. જેમ શાલિતંદુલનું અંદરનું પડ ઊખડે તો ઉપરનું છોડું તો ઊખડેલું હોય જ, તેમ મોક્ષમાર્ગ સાધ્ય થાય તેને બાહ્યત્યાગ સહેજે હોય એવો નિયમ છે; પરંતુ બાહ્યત્યાગ હોય તેને શુદ્ધાત્માનો લક્ષ હોય કે ન પણ હોય. મુનિગૃહીના લિંગરૂપ વેષ અને વ્રતના ભેદો દેશકાળ પ્રમાણે ફરે પણ છે, પરંતુ નિશ્ચયમોક્ષમાર્ગ તો ત્રણે કાળમાં અભેદ એકરૂપ જ રહે છે. વળી અનુભવ વખતે દેહ અને દેહાશ્રિત વેષ આદિનું મમત્વ સર્વથા ત્યાગવું પડે છે, તે થવા આ ૭ ગાથામાં ફરી ફરી ઉપદેશ કર્યો છે. ૩૦૭ પ્રશ્ન :- કેવલજ્ઞાન થતાં પહેલાં આત્મા તો આવરણ સહિત છે, તો પછી તેને શુદ્ધભાવ કેવી રીતે થાય ? ઉત્તર ઃ- આવરણ સહિત છદ્મસ્થ જ્ઞાન અમુક અપેક્ષાએ અશુદ્ધ છે અને અમુક અપેક્ષાએ શુદ્ધ પણ છે. જો કે કેવલજ્ઞાનની અપેક્ષાએ છદ્મસ્થજ્ઞાન આવરણ સહિત હોવાથી અશુદ્ધ છે તો પણ સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગાદિનો ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય થવાથી તેનો આત્મા અંશે નિરાવરણ થાય છે. એમ જેટલો શુદ્ધાત્મા પ્રગટ થયો તેમાં ઉપયોગની સ્થિરતા કરવી તેરૂપ-વીતરાગ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની એકતારૂપ-પરિણતિ થાય તે શુદ્ધભાવ છે. તે શુદ્ધભાવમાં ઉપયોગ સ્થિર કરતાં અને શ્રુતના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384