Book Title: Samayik Bhav
Author(s): Rashmikant Shah
Publisher: Rashmikant Shah

View full book text
Previous | Next

Page 12
________________ સામાયિક ભાવ ૧૧ ઓળખવાનું છે. ભગવાન મહાવીરસ્વામીએ પણ એ જ અર્થમાં કહ્યું કે એ એક ચેતનાને જે ઓળખે છે તે બધી ચેતનાને ઓળખે છે. ને ાં નાળ સે सव्वं जाणइ । સોક્રેટીસે પણ એ જ કહ્યું : તારી જાતને ઓળખ. ‘Know thyself.' ઉપનિષદમાં પણ એ જ કહ્યું : તારા આત્માને જાણ વિદ્ધિા અત્યારે હું તમને સ્પષ્ટ રીતે, ફોડ પાડીને, ‘તમે જ્યાં એક દેખો છો ત્યાં બે છે, એમ જોતાં શીખો' એ વાત કરું છું. आत्मानं ચેતનાની સમાનતા (equality) એ સમ શબ્દનો ત્રીજો અર્થ છે. આપણે સામાયિક કરીએ ત્યારે આપણે આ ત્રણેય અર્થમાં સમજવું પડે. એ ત્રણેનો લાભ (આય) થાય, એને લગતું જે અનુષ્ઠાન હોય, તે અર્થ અને ભાવ સહિતનું સાચું સામાયિક છે. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે - કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. – આત્મસિદ્ધિ શાસ્ત્ર, ગાથા ૩૮. જે આત્માર્થી છે, જેમને માત્ર મોક્ષનો જ અભિલાષ છે, જેમને સંસારના ચક્રમાં ફરતાં ખેદ થાય છે અને જેમના અંતરમાં જીવો સાથે મૈત્રી અને કરુણાના ભાવો છે તે મુમુક્ષુ જીવોએ સામાયિકના અનુષ્ઠાનને સફળ કરવા માટે આ ત્રણેય અર્થમાં બરાબર સમજવું પડે : ૧. કષાયો શમવા જોઈએ, ૨. જીવનમાં કર્મોના ઉદય વખતે મધ્યસ્થભાવ રહેવો જોઈએ, અને

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38