________________
સામાયિક ભાવ ૧૧
ઓળખવાનું છે. ભગવાન મહાવીરસ્વામીએ પણ એ જ અર્થમાં કહ્યું કે એ એક ચેતનાને જે ઓળખે છે તે બધી ચેતનાને ઓળખે છે. ને ાં નાળ સે सव्वं जाणइ ।
સોક્રેટીસે પણ એ જ કહ્યું : તારી જાતને ઓળખ. ‘Know
thyself.'
ઉપનિષદમાં પણ એ જ કહ્યું : તારા આત્માને જાણ
વિદ્ધિા
અત્યારે હું તમને સ્પષ્ટ રીતે, ફોડ પાડીને, ‘તમે જ્યાં એક દેખો છો ત્યાં બે છે, એમ જોતાં શીખો' એ વાત કરું છું.
आत्मानं
ચેતનાની સમાનતા (equality) એ સમ શબ્દનો ત્રીજો અર્થ છે. આપણે સામાયિક કરીએ ત્યારે આપણે આ ત્રણેય અર્થમાં સમજવું પડે. એ ત્રણેનો લાભ (આય) થાય, એને લગતું જે અનુષ્ઠાન હોય, તે અર્થ અને ભાવ સહિતનું સાચું સામાયિક છે. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે -
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ.
– આત્મસિદ્ધિ શાસ્ત્ર, ગાથા ૩૮.
જે આત્માર્થી છે, જેમને માત્ર મોક્ષનો જ અભિલાષ છે, જેમને સંસારના ચક્રમાં ફરતાં ખેદ થાય છે અને જેમના અંતરમાં જીવો સાથે મૈત્રી અને કરુણાના ભાવો છે તે મુમુક્ષુ જીવોએ સામાયિકના અનુષ્ઠાનને સફળ કરવા માટે આ ત્રણેય અર્થમાં બરાબર સમજવું પડે :
૧. કષાયો શમવા જોઈએ,
૨. જીવનમાં કર્મોના ઉદય વખતે મધ્યસ્થભાવ રહેવો જોઈએ, અને