________________
સામાયિક ભાવ ૬ ૧૭
તે મિથ્યા થાઓ - જો ત્યાં તમે એ નહીં કરો તો એ તમારું ભાવપ્રતિક્રમણ નથી.
આપણે તો ભાવ પ્રતિક્રમણ કરવાનું હોય, હૃદયપૂર્વકનું ‘મિચ્છા મિ દુક્કડદેવાનું હોય. સામેવાળાની ભૂલ દેખાતી હોય (આપણી ભૂલ તો હોય જ નહીં!) છતાં આંખમાંથી પશ્ચાત્તાપનાં આંસુ આવે, હૃદયપૂર્વકની ક્ષમા માગીએ અને આપીએ ત્યારે એ સાચું ભાવપ્રતિક્રમણ થાય!
એવી રીતે, આ ભાવસામાયિક તમે કયાં કરી શકો? ક્યારે કરી શકો? એ તમે ગમે ત્યાં, ગમે ત્યારે કરી શકો. દ્રવ્યપૂજા કરવા માટે તમને દહેરાસર, પ્રતિમા જોઈએ. દ્રવ્યપૂજા, દ્રવ્યસામાયિક કે દ્રવ્યપ્રતિક્રમણ કરવા માટે તમને સાધન સામગ્રી જોઈએ, પણ ભાવપૂજા, ભાવસામાયિક કે ભાવપ્રતિક્રમણ તમે ટ્રેનમાં, બસમાં, ગમે ત્યાં કરી શકો. ખુરશીમાં બેઠાબેઠા કરી શકો. બગીચામાં બેસીને પણ કરી શકો. આ ભાવની એ મહત્તા છે કે ભાવને સાધન-સામગ્રીની જરૂર પડતી નથી કે સ્થળ-કાળનું બંધન નડતું નથી. માત્ર મનનો ભાવ જ જોઈએ છે.
એક બિમાર માણસ પથારીમાં પડ્યો છે. તે સરખી રીતે બેસીને ત્રણ કલાક દ્રવ્યપ્રતિક્રમણ નહીં કરી શકે, પણ મનના સાચા ભાવથી ભાવપ્રતિક્રમણ કરીને હૃદયથી સાચું “મિચ્છા મિ દુક્કડ’ તો દઈ શકે છે જ.
તમારી જો પૂર્ણ જાગૃતિ હોય તો તમે થિયેટરમાં બેસીને પણ આ ભાવસામાયિક કરી શકો! એટલે ભાવથી શમ, સમતા, સમાનતા એ અર્થમાં તમે ગમે ત્યાં ભાવસામાયિક કરી શકો છો, સામાયિકભાવ રાખી શકો છો.
આજથી સામાયિકના આ અર્થને અને ભાવને પકડો. દ્રવ્યસામાયિક ઘણાં કર્યા. બહુ સારી વાત છે. એ પણ કરવાનું. એની ના નથી, પણ એ
ડી લીધા પછી 50નાવાતા
વાત એ
છે દિલડા
વી -