________________
૨૮ સામાયિક ભાવ
અને ફરી પાછાં આપણે આપણને કર્મ લગાડ્યાં, ધૂળ લગાડી અને મલિન થયા!
તો આપણે વધુ ધાર્મિક થયા? કે ન થયા? આપણા આત્માની શુદ્ધિ વધી? કે ઘટી?
આપણા આત્માની શુદ્ધિ વધતી નથી અને મનની મલિનતા ઘટતી નથી એટલે ઘણી ધર્મક્રિયાઓ કરવા છતાં આપણને ફળ મળતું નથી!
તો આપણે શું કરવું જોઈએ?
જે બે ચાર કલાક આપણે સ્નાન કરીને ચોખ્ખા થઈએ છીએ એ નહીં કરીએ તો ચાલશે. પણ પેલા ૨૦-૨૨ કલાક જે ધૂળમાં આળોટીએ છીએ અને મલિન થઈએ છીએ એ પહેલાં બંધ કરવું પડશે. જે કર્મોની રજ આપણે આપણને ચોંટાડ્યા કરીએ છીએ એને પહેલાં અટકાવવી પડશે. પછી આપણે જે ધર્મક્રિયાઓ કરીએ, જે સ્નાન કરીએ એનું ફળ મળે.
આપણે એક દાખલો લઈને સમજીએ.
પાણીથી ભરેલી આ એક કોઠી છે. નીચે નળ છે. આમાં પાણી ભરેલું છે. એમાં પાણીને બદલે કર્મો ભર્યા છે એમ સમજો. એટલે કે આપણી કોઠીમાં ઘણાં કર્મો ભરેલાં છે. હવે આપણે આ કોઠી ખાલી કરવી હોય, આપણા આત્માને લાગેલાં કર્મો ખાલી કરવા હોય તો આપણે શું કરવું જોઈએ?
એક રસ્તો તો એ છે કે કોઠીમાં ઉપરથી નવું પાણી ભરાયા કરે છે તે વધુ ન ભરાય તે માટે સૌથી પહેલાં તો ઉપરનું ઢાંકણું બરાબર ઢાંકી દેવું પડે, જેથી નવું પાણી અંદર આવતું બંધ થઈ જાય.
આપણે ત્યાં અહીં ૧૧, ૧૨, ૧૩ જુલાઈએ એક દિવસમાં