Book Title: Samayik Bhav
Author(s): Rashmikant Shah
Publisher: Rashmikant Shah

View full book text
Previous | Next

Page 34
________________ સામાયિક ભાવ ૬ ૩૩ સામાયિકનું ફળ છે. એની સામે તમારા ટેલિફોનના ધંધા અને આવનાર જનાર વ્યક્તિઓનું ધ્યાન – આની શું કિંમત છે? આમાં તમે શેમાંથી બચી જાઓ છો એ પણ ટૂંકમાં જોઈ લઈએ. સામાયિકમાં પાપકર્મોનો બંધ થતો નથી. – સાવદ્ય (પાપકારી) યોગનું પચ્ચખ્ખાણ (સાવપ્ન નો પર્વ+જ્ઞામિ) કરેલું છે માટે પાપ લાગતું નથી. સામાયિક દરમિયાન ઉદયમાં આવતાં કર્મો, નવું કર્મબંધન કરાવ્યા વગર, આપમેળે નિર્જરી જાય છે. ૩. ચાર કષાયો (ક્રોધ, માન, માયા, લોભ)માં અનંતાનુબંધી રસ પડતો નથી. ૪. પાંચ પ્રકારના પ્રમાદ (મદ્ય, વિષય, કષાય, નિદ્રા, વિકથા) નો ત્યાગ થાય છે. ૫. આઠ પ્રકારનાં કર્મોમાંથી અશુભ પ્રકૃતિની નિર્જરા થઈને અઘાતી કર્માની માત્ર શુભ પ્રકૃતિનો જ બંધ પડે છે. ૬. ૧૪ પ્રકારના સંમૂર્છાિમ જીવોની હિંસા થતી નથી. ૭. ૧૮ પાપસ્થાનકોનો ત્યાગ થાય છે. ૮. ૨૫ પ્રકારનું મિથ્યાત્વ લાગતું નથી. ૯. ૯૯ દોષો અતિચારના લાગતા નથી. આવા કેટલાય ગેરફાયદાઓથી બચી જવાય છે અને અનેક પ્રકારના લાભ થાય છે.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38