________________ મુનિ મિત્રાનંદસાગરજીએ જેમના માટે ‘પરમાર્વત’ વિશેષણ વાપર્યું છે, શ્રી ચિત્રભાનુજીએ જેમના માટે ‘જિનિયસ' શબ્દનો ઉપયોગ કર્યો છે અને સ્વ. આચાર્ય વિજય દક્ષસૂરિજી જેમને ‘ચીંથરે વીંટેલું રતન” કહેતા હતા તેવા અને ‘સૌના કલ્યાણમાં મારું કલ્યાણ’ એવી ઉદાત્ત ભાવના ધરાવતા ડૉ. રશ્મિકાન્તભાઈ એમણે સ્થાપેલા કેવલી ફાઉન્ડેશનના નેજા હેઠળ દર અઠવાડિયે આત્મલક્ષી પ્રવચનોની ગંગા ૧૯૯૦થી મલાડ " (મુંબઈ)માં વહાવે છે. ‘મને મળ્યું છે તે સૌને મળે” એવા ખ્યાલથી શરૂ કરાયેલી આ જ્ઞાનગંગામાં, જ્ઞાનરસનું પાન કરનારા શ્રોતાવર્ગમાં ‘સાહેબ’ના હુલામણા નામે ઓળખાતા ડૉ. રશ્મિકાન્તભાઈ મૂળભૂત રીતે તો અધ્યાત્મ માર્ગના પ્રવાસી છે. તેઓ સંપ્રદાય, ગચ્છ, વાડા, મત એ બધાંથી દૂર એવા સનાતન અને શાશ્વત સત્યના ખોજી છે અને જગતના મહાન ચિંતકોની પરંપરામાં ઊભા રહી શકે એવા છે. | મુંબઈની સિડનહેમ કૉલેજમાંથી બી. કૉમ. અને બી. એ. કર્યા પછી તેમણે હોમિયોપથીમાં ડૉક્ટરેટ પણ કર્યું. સાથે સાથે તેઓ શેરબજાર, કોમ્યુટર, જ્યોતિષ, ધર્મ, અધ્યાત્મ વગેરે ક્ષેત્રોમાં પણ રસ લેતા થયા. તેઓ અમેરિકન ઍસો સ્ટાન્ડર્ડ (હિન્દુસ્તાન પેટ્રોલિયમ) અને પછી હીરા ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા હતા. હાલમાં જાપ, સ્વાધ્યાય, ધ્યાન, પ્રવચન અને લેખન ઉપરાંત તેઓ ‘કેવલી ફાઉન્ડેશન”ના સભ્યોમાંથી ભાવિ પેઢી માટે સુપાત્ર વારસદારોને તૈયાર કરે છે. | ગૃહસ્થાશ્રમની ફરજો સફળતા પૂર્વક બજાવતાં બજાવતાં તેઓ આત્મિક ફરજ પ્રત્યે પણ એટલા જ સભાન અને સજાગ છે. સ્વાધ્યાય હોય કે સાધના, લેખન હોય કે પ્રવચન, જે બાબત હાથ ઉપર ધરે તેને નિષ્ઠાપૂર્વક પાર પાડવામાં તેઓ કુશળ છે. - પોતાનું સાધતાં સાધતાં બીજાઓને પણ કેવલી બનાવવા માટે પુરુષાર્થ કરવો એ એમનો જીવનમંત્ર છે.