Book Title: Saman Suttam
Author(s): Yagna Prakashan Samiti
Publisher: Yagna Prakashan Samiti

View full book text
Previous | Next

Page 255
________________ ૪૧, સમન્વય સૂત્ર ૭૨૨. પરોક્ષરૂપે સમગ્ર વસ્તુઓને જે અનેકાંતરૂપ બતાવે છે અને સંશય વગેરેથી રહિત છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. ૭૨૩. વસ્તુના કેઈ પણ એક ધર્મની વિવક્ષા અથવા અપેક્ષા દ્વારા જે લોકવ્યવહારને સાધે છે એ નય છે. નય શ્રુતજ્ઞાનને ભેદ છે અને લિંગ દ્વારા ઉત્પન્ન થાય છે. ૭૨૪. અનેક ધર્મોથી યુક્ત વસ્તુના કેઈ પણ એક ધર્મને ગ્રહણ કરવો તે નયનું લક્ષણ છે. કારણ કે એ સમયે એ જ ધર્મની વિવેક્ષા છે, બીજા ધર્મોની નહિ. ૭૨૫. એ ન ( વિરોધી હોય છતાં પણ) સાપેક્ષ હોય તે સુનય કહેવાય છે અને નિરપેક્ષ હોય તો દુનય. સુનય દ્વારા જ નિયમપૂર્વક સમસ્ત વ્યવહાર સિદ્ધ થાય છે. ૭૨૬. ( વાસ્તવમાં જે જોઈએ તે લોકમાં ) જેટલાં વચન-પંથ છે એટલા નય છે, કારણ કે દરેક વચન વકતાના કેઈ ને કોઈ અભિપ્રાય અથવા અર્થને સૂચવે છે અને એવાં વચનામાં • વસ્તુના કોઈ પણ એક ધર્મની જ મુખ્યતા હોય છે. એટલા માટે જેટલા નય સાધારણ (હઠગ્રાહી) છે એ બધા પર –સમય છે, મિથ્યા છે; અને અવધારણુરહિત (સાપેક્ષ. સત્યગ્રાહી ) તથા સ્યાત્ શબ્દથી યુક્ત સમુદિત બધા નય સમ્યક હોય છે. ૭૨૭. નયવિધિના જ્ઞાતાએ, પર-સમયરૂપ (એકાંત અથવા આગ્રહ- પૂર્ણ) અનિત્યત્વે આદિના પ્રતિપાદક ઋજુસૂત્ર આદિ નય અનુસાર લોકમાં પ્રચલિત મતેનું નિવર્તન અથવા પરિહાર, નિત્યાદિનું કથન કરવાવાળા દ્રવ્યાર્થિક નય પ્રમાણે કરો જોઈએ. તથા સ્વસમયરૂપ જે સિદ્ધાંતોમાં પણ અજ્ઞાન અથવા દ્વેષાદિ દેથી યુકત કઈ વ્યકિતએ દેષ બુદ્ધિથી કઈ નિરપેક્ષ પક્ષ સ્વીકારી લીધું હોય તો એનું પણ નિવર્તન (નિવારણ) કરવું જોઈએ. - ૨૩૩ -

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300