Book Title: Saman Suttam
Author(s): Yagna Prakashan Samiti
Publisher: Yagna Prakashan Samiti

View full book text
Previous | Next

Page 261
________________ સ્યવાદ ૨૩૯ ૭૪૦. જ્યાં એક વસ્તુને કેઈ બીજી વસ્તુમાં આરોપ કરવામાં આવે છે ત્યાં સ્થાપના નિક્ષેપ કહેવામાં આવે છે. આ બે પ્રકારને છે –સાકાર અને નિરાકાર. કૃત્રિમ અને અકૃત્રિમ હિતની પ્રતિમા સાકાર સ્થાપના છે તથા કેાઈ બીજા પદાર્થમાં અહંતની સ્થાપના કરવી તે નિરાકાર સ્થાપના છે. ૭૪૧-૭૪૨. જ્યારે વસ્તુની વર્તમાન અવસ્થાનું ઉલ્લંઘન કરી એના ભૂતકાલીન અથવા ભાવી સ્વરૂપાનુસાર વ્યવહાર કરવામાં આવે છે ત્યારે એને દ્રવ્યનિક્ષેપ કહે છે. એના બે ભેદ છે –આગમ અને નોઆગમ. અહ“તકથિત શાસ્ત્રને જાણકાર જે સમયે એ શાસ્ત્રમાં પોતાનો ઉપયોગ નથી લગાવત એ સમયે એ આગમ દ્રવ્યનિક્ષેપ અનુસાર અહત છે. આગમ દ્રવ્યનિક્ષેમના ત્રણ ભેદે છે – જ્ઞાયક શરીર, ભાવી અને કર્મ. જ્યાં વસ્તુના જ્ઞાતાના શરીરને એ વસ્તુ સ્વરૂપ માનવામાં આવે ત્યાં જ્ઞાયક શરીર નાઆગમ દ્રવ્ય નિક્ષેપ છે. દાખલા તરીકે રાજનીતિજ્ઞના મૃત શરીરને દેખીને કહેવું કે રાજનીતિ મરી ગઈ જ્ઞાયક શરીર પણ ભૂત, વર્તમાન અને ભવિષ્યની અપેક્ષાએ ત્રણ પ્રકારનાં તથા ભૂતજ્ઞાયક શરીર ઠુત, ત્યકત, અને શ્યાવિતરૂપે પુનઃ ત્રણ પ્રકારના હોય છે. વસ્તુને જે સ્વરૂપ ભવિષ્યમાં પ્રાપ્ત થશે એને વર્તમાનમાં જ એવું માનવું એને ભાવીનેઆગમ દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. દાખલા તરીકે યુવરાજને રાજા માનવો. તથા કેઈ વ્યક્તિના કર્મ જેવાં હોય અથવા વસ્તુના વિષયમાં લૌકિક માન્યતા જેવી થઈ ગઈ હોય એ અનુસાર ગ્રહણ કરવું એને કર્મ અથવા તદ્દવ્યતિરિકત આગમ દ્રવ્યનિક્ષેપ કહેવાય છે. જેવી રીતે જે વ્યક્તિમાં દશનવિશુદ્ધિ, વિનય આદિ તીર્થકર નામ કર્મનો બંધ પાડે એવાં લક્ષણ દેખવામાં આવે તેને તીર્થકર જ કહેવા અથવા પૂર્ણ કલશ, દર્પણ વગેરે પદાર્થોને લોક માન્યતાનુસાર માંગલિક કહેવા. ૭૪૩-૭૪૪. તત્કાળવતી પર્યાનુસાર જ વસ્તુને સંબોધિત કરવી અથવા માનવી એને ભાવનિક્ષેપ કહે છે. એના પણ બે પ્રકારે, છે. આગમભાવનિક્ષેપ અને નોઆગમભાવનિક્ષેપ. દાખલા " તરીકે અહંત-શાસ્ત્રને જ્ઞાયક જે સમયે એના જ્ઞાનમાં

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300