________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમાધિતંત્ર
પહેલા પ્રકારનું ભેદજ્ઞાન જીવ પોતાના ગુણો અને પર્યાયોથી એક છે-અભિન્ન છે તથા પર દ્રવ્યો, તેના ગુણો અને પર્યાયોથી અત્યંત જુદો છે. અર્થાત્ જીવ સ્વદ્રવ્ય ક્ષેત્રે સ્વકાળે અને સ્વભાવે, પર દ્રવ્યનાં દ્રવ્યક્ષેત્રકાળભાવથી અત્યંત જુદો છે. તેથી તે અપેક્ષાએ પર દ્રવ્યો, તેના ગુણો અને તેના પર્યાયો સાથેનો સંબંધ માત્ર વ્યવહારનયે સંયોગરૂપ કે નિમિત્તરૂપ છે એવું જ્ઞાન કરાવવામાં આવે છે.
આ દષ્ટિએ પર દ્રવ્યો સાથેનો સંબંધ અસદભૂત-અસત્ય હોવાથી તે સંબંધીનું જ્ઞાન કરાવનારા નયને “વ્યવહારનય' કહેવામાં આવે છે અને જીવના દ્રવ્ય-ગુણ-પર્યાય પોતાના હોવાથી તે સદ્ભૂત-સત્ય હોવાથી તે સંબંધીનું જ્ઞાન કરાવનારા નયને “નિશ્ચયનય” કહેવામાં આવે છે.
બીજા પ્રકારનું ભેદજ્ઞાન પણ પહેલાં પ્રકારનું ભેદજ્ઞાન કરવા માત્રથી જ સમ્યગદર્શનશાન થતું નથી. અનાદિથી જીવનો પર્યાય અશુદ્ધ છે. તેને પોતામાં થતો હોવાની અપેક્ષાએ “નિશ્ચયનય” નો વિષય કહે છે, તો પણ તે પરના આશ્રયે થતો હોવાથી તેને વ્યવહારનયનો પણ વિષય કહેવાય છે. વળી શુદ્ધ પર્યાયો પણ જીવનું ત્રિકાલી સ્વરૂપ નથી, તેમજ તેના આશ્રયે તથા ગુણભેદના આશ્રયે વિકલ્પ ઉત્પન્ન થાય છે તેથી તેનો આશ્રય છોડાવવા માટે તેને પણ વ્યવહાર કહેવામાં આવે છે અને જીવ દ્રવ્યનું ત્રિકાલી શુદ્ધસ્વરૂપ કે જે ધ્રુવ છે તેને “નિશ્ચય' કહેવામાં આવે છે કેમકે તેને આશ્રયે જ ધર્મની શરૂઆત-તેનું ટકવું–તેની વૃદ્ધિ અને પૂર્ણતા થાય છે. '
સિદ્ધાત્માને નમસ્કાર શા માટે? “.......સિદ્ધ ભગવંતો સિદ્ધપણાને લીધે, સાધ્ય જે આત્મા તેના પ્રતિછંદના (પ્રતિબિંબના) સ્થાને છે-જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને, તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાવીને, તેમના જેવા થઈ જાય છે........”
“સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે અને સિદ્ધ સાક્ષાત્ શુદ્ધાત્મા છે તેથી તેમને નમસ્કાર કરવા ઉચિત છે..........”
વળી શ્રી મોક્ષમાર્ગપ્રકાશક-ગુ. આવૃત્તિ પૃ. ૩ માં સિદ્ધ ભગવાનનું સ્વરૂપ બતાવતાં કહ્યું
...જેના ધ્યાન વડે ભવ્ય જીવોને સ્વદ્રવ્ય-પદ્રવ્યનું ઉપાધિક ભાવ તથા સ્વાભાવિક ભાવનું વિજ્ઞાન થાય છે, જે વડે પોતાને સિદ્ધ સમાન થવાનું સાધન થાય છે. તેથી સાધવા યોગ્ય પોતાનું શુદ્ધ સ્વરૂપ, તેને દર્શાવવા માટે જે પ્રતિબિંબ સમાન છે તથા જે કૃતકૃત્ય થયા છે તેથી એ જ પ્રમાણે અનંતકાળ પર્યત રહે છે એવી નિષ્પન્નતાને પામેલા શ્રી સિદ્ધ ભગવાનને અમારા નમસ્કાર હો...” ૩. જુઓઃ શ્રી સમયસાર - શ્રી રામચંદ્ર ગ્રન્થમાળા- શ્રી જયસેનાચાર્ય ટીકા-ગાથા પ૭; પૃ. ૧૦૧; ગાથા ૧૦૨,
પૃ. ૧૬૭; ગાથા ૧૧૧ થી ૧૧૫, પૃ. ૧૭૯; ગાથા ૧૩૭-૧૩૮, પૃ. ૧૯૮ (ગુ. દ્રવ્યસંગ્રહ પૃ. ૮, ૯). ૪. શ્રી સમયસાર- નવી ગુ. આવૃત્તિ પૃ. ૬, ૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com