Book Title: Samadhi Tantra
Author(s): Devnandi Maharaj
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 136
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર [૧૧૭ શ્લોક ૭૮ અન્વયાર્થ : (૧) જે (વ્યવEારે) વ્યવહારમાં (સુષુH:) સૂતેલો છે, (સ:) તે (માત્મા રે ) આત્માના વિષયમાં (નીર્તિ) જાગે છે (વ) અને જે (રિમન વ્યવહારે ) આ વ્યવહારમાં (નાતિ) જાગે છે તે (નાત્મણો રે ) આત્માના વિષયમાં (સુષુપ્ત:) સૂતેલો છે. ટીકા : વ્યવહારમાં એટલે વિકલ્પ નામ જેનું લક્ષણ છે તેમાં (‘વિકલ્પના સ્થાનરૂપ') અર્થાત પ્રવૃત્તિ-નિવૃત્તિ-આદિસ્વરૂપ (વ્યવહારમાં) જે સૂતો છે-પ્રયત્નપરાયણ નથી, તે આત્મદર્શનમાં એટલે આત્મવિષયમાં જાગે છે અર્થાત્ સંવેદનમાં (આત્માનુભવમાં) તત્પર હોય છે, પણ જે આ ઉક્ત પ્રકારના વ્યવહારમાં જાગે છે તે આત્મ-વિષયમાં સૂતો છે. (અર્થાત્ આત્મદર્શન પામતો નથી.) ભાવાર્થ : જ્ઞાની, પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ સાંસારિક કાર્યોમાં અનાસક્ત તેમ જ અપ્રયત્નશીલ હોય છે અને આત્માનુભવના કાર્યમાં સજાગ રહે છે-તત્પર રહે છે, જ્યારે અજ્ઞાની પ્રવૃત્તિનિવૃત્તિરૂપ સંસારનાં કાર્યોમાં પ્રયત્નશીલ રહે છે-જાગૃત રહે છે અને આત્માનુભવના કાર્યમાં અતત્પર રહે છે. વિશેષ અહીં આચાર્ય એ બતાવ્યું છે કે પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહારમાં-અર્થાત, અહિંસા, ભક્તિ, વ્રત, નિયમાદિ શુભ પ્રવૃત્તિરૂપ વ્યવહારમાં અને હિંસા, જૂઠ, ચોરી, આદિ અશુભ કાર્યથી નિવૃત્તિરૂપ વ્યવહારમાં-એમ બન્ને વ્યવહારોમાં જે અતત્પર હોય છે તે જ આત્માનુભવ કરી શકે છે, પરંતુ ભક્તિ આદિ શુભ કાર્યોમાં પ્રવૃત્તિથી અને અશુભ કાર્યમાં નિવૃત્તિથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, કારણ કે તે પ્રવૃત્તિ વિકલ્પરૂઢ છે-રાગયુક્ત છે. રાગ ભલે શુભ હોય તો પણ તેનાથી આત્મજ્ઞાન થતું નથી. જ્ઞાની તો આત્મસ્વરૂપમાં સ્થિરતારૂપ પ્રવૃત્તિ કરે છે, તેથી તેને વ્યવહાર ધર્મથી સ્વયં નિવૃત્તિ થઈ જાય છે. તેની તે પ્રવૃત્તિ વિકલ્પારૂઢ નથી, પણ નિર્વિકલ્પ છે અને તેનાથી ધર્મ થાય છે. જ્ઞાનીને અસ્થિરતાને લીધે કદાચિત્ પૂજા-ભક્તિ આદિનો શુભ રાગ આવે, પણ તે તેને ભલો માનતો નથી, તેને તેનું સ્વામીત્વ કે કર્તબુદ્ધિ નથી. તેને તે રાગ હેયબુદ્ધિએ વર્તે છે; તેથી તેમાં તેની પ્રવૃત્તિ દેખાવા છતાં તે વાસ્તવમાં નિવૃત્તિમય જ છે. અજ્ઞાની શુભરાગમય પ્રવૃત્તિને ધર્મ માની તેનાથી સંતુષ્ટ થાય છે અને આત્મસ્વરૂપની ભાવના માટે અતત્પર હોય છે. વળી કોઈ જીવ ભક્તિને મોક્ષનું કારણ જાણી તેમાં અતિ અનુરાગી થઈ પ્રવર્તે છે, પણ તે તો જેમ અન્યમતિ ભક્તિથી મુક્તિ માને છે તેવું આનું પણ શ્રદ્ધાન થયું; ભક્તિ તો રાગરૂપ છે અને રાગથી બંધ છે, માટે તે મોક્ષનું કારણ નથી. રાગનો ઉદય આવતાં જો ભક્તિ ન કરે તો પાપાનુરાગ થાય, એટલા માટે અશુભ રાગ છોડવા અર્થે જ્ઞાની ભક્તિમાં પ્રવર્તે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178