Book Title: Samadhi Tantra
Author(s): Devnandi Maharaj
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 148
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર [૧૨૯ અવસ્થા હોય છે. આ અવસ્થામાં જે વ્રત-તપાદિ કરવાનો વિકલ્પ આવે છે તે બધાં બાલ તપ ગણાય છે.' અવિરત સમ્યગ્દષ્ટિઓને, દેશવિરત શ્રાવકોને અને મુનિઓને ભૂમિકાનુસાર શુભ-અશુભ વિકલ્પો આવે છે, પરંતુ તેમને ભેદ-વિજ્ઞાન હોવાથી તે વિકલ્પોને તેઓ શ્રદ્ધાજ્ઞાનમાં પોતાનું સ્વરૂપ માનતા નથી, શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં તેમને વિઘરૂપ માને છે અને તે છોડવા માટે પોતાની ભૂમિકાનુસાર પ્રયત્ન કરે છે. જેને (સમ્યગ્દષ્ટિ શ્રાવકને) જેટલે અંશે સમ્યગ્દર્શન હોય છે (શુદ્ધિ છે–શુદ્ધ ભાવ છે, રાગરહિત અંશ છે) તેટલે અંશે તેને બંધ નથી; જેટલે અંશે રાગ છે તેટલે અંશે તેને બંધ થાય છે. તેને જેટલે અંશે સમ્યજ્ઞાન છે તેટલે અંશે બંધ નથી અને જેટલે અંશે રાગ છે એટલે અંશે તેને બંધ થાય છે; તેને જેટલે અંશે સમ્યક ચારિત્ર છે તેટલે અંશે તેને બંધ નથી અને જેટલે અંશે રાગ છે તેટલે અંશે તેને બંધ થાય છે.” આથી સ્પષ્ટ છે કે સમ્યગ્દષ્ટિને ભૂમિકાનુસાર જે પૂજા, ભક્તિ, આદિ તથા વ્રત, મહાવ્રત, નિયમાદિનો શુભભાવ આવે છે તે પણ આસ્રવ-બંધનું કારણ છે, પણ તે સંવર-નિર્જરાનું કારણ નથી. સંવર-નિર્જરાનું કારણ તો શુભ અંશો સાથે જે શુદ્ધ અંશ છે તે જ છે. જે શુભ રાગ બંધનું કારણ હોય તે મોક્ષનું કારણ કદી હોઈ શકે નહિ. માટે વ્રતાદિના શુભ વિકલ્પોને પણ અવ્રતાદિ અશુભ વિકલ્પોની જેમ મોક્ષમાર્ગમાં હેય-છોડવા યોગ્ય ગણવામાં આવ્યા છે. જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી, ત્યાં સુધી સમ્યગ્દષ્ટિને બે ધારા રહે છેશુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા. તે બંને સાથે રહેવામાં કોઈ વિરોધ નથી. તે સ્થિતિમાં કર્મ (અશુદ્ધભાવરૂપ કર્મ) પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન (શુદ્ધભાવરૂપ જ્ઞાનકર્મ) પોતાનું કાર્ય કરે છે. જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે અને જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષય-કષાયના વિકલ્પો કે વ્રત-નિયમના વિકલ્પોશુદ્ધસ્વરૂપનો જુઓ – શ્રી સમયસાર ગાથા -- ૧૫૨, ૧૫૩. येनांशेन सुदृष्टिस्तेनांशेनास्य बन्धनं नास्ति। येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति।। २१२।। येनांशेन ज्ञानं तेनांशेनास्य बन्धनं नास्ति। येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति।। २१३।। येनांशेन चारित्रं तेनांशेनास्य बन्धनं नास्ति। येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति।। २१४ ।। (પુરુષાર્થસિદ્ધયુપાય – ગા. ૨૧૨ થી ૨૧૪) Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178