Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 221
________________ પક બારમા દિવસની કાર્યવાહી : ૧ કરીએ તે ઠીક નથી.” વાત ઠીક છે. હજુ સુધી આપણે જે હેતુથી એકઠા થયા છીએ તે હેતુ સફલ થાય તે રીતે આપણે ઉદારમતવાળા બની એકમત થવાને કઈ પ્રયત્ન આરંભ્યો નથી, માટે આપ જાણે છે એમ કહી શકાય. તે હેતુને ધ્યાનમાં રાખી ઉદાર સરળ ભાવથી આપણી સામે જે શાસ્ત્રો છે તેને અને શાસ્ત્રશુદ્ધ પરંપરાને સામે રાખી વિચાર કરવા બેસીએ તે આપણે એકમત ન થઈએ એમ છે જ નહિ, એમ મારું માનવું છે. ઈતિહાસમાં પણ જ્યારે જ્યારે આવા પ્રસંગે ઉભા થયા ત્યારે ત્યારે શાસ્ત્રાધારે જ નિર્ણય લેવાયા છે. આજે પણ જે શાસ્ત્રો હોય, અને જેને નિર્ણયાત્મક આધાર હોય તે જ આપણે આધાર છેને તેને જ અનુસરીને ચલાય છે. ભવિષ્યમાં પણ જે જે પ્રમાણે મળે, તે તે પ્રમાણે અને શાસ્ત્રોને આંખ સામે રાખીને જ સઘળાં નિર્ણ લેવાના રહે છે. આપણે એમ નથી ધારતા કે-શ્રમણસંઘ શાસ્ત્રાધારે એકમત ન થાય; એક નિર્ણય ન લાવી શકે. ભલે અમુક વાતમાં બને કે-એકમત ન થાય; પરંતુ શાસ્ત્રોને આંખે સામે રાખીને તે એકમત થઈ શકીએ-એકમત થઈ જઈએ. આપણે કરવા ધારીએ તે કરી શકીએ. આપણે શાસ્ત્રાધારે જ નિર્ણય કરવો ઘટે. આપણે સહુ ભગવાન મહાવીરનાં શાસનમાં જન્મ્યા છીએ. ભવિષ્યમાં પણ આપણને મળે એ ઈચ્છનારા આપણે ભગવાનનું શાસન એક છત્રી બને એ આશયથી સંગઠિત પ્રવૃત્તિ કરીએ તે ભગવાનનું શાસન જયવંતુ બને અને તેની શોભા દિનપ્રતિદિન ઉજવળ રહે એ માટે શુદ્ધબુદ્ધિથી સરળભાવથી ગમે તે રીતિએ ગ્ય વ્યક્તિઓને યોગ્ય રીતિએ આ કાર્ય સૈપાય. જેઓ યોગ્યરીતે શાસ્ત્રો જોઈ શકે, વાંચી શકે, વિચારી શકે, સાંભળી શકે, વફાદાર હોય તેવા ગ્ય મહાપુરુષને સોંપીએ તે થોડા વખતમાં શાસ્ત્રોની વાતનું સ્પષ્ટીકરણ કરી શકીએ. વિહારની વાત પણ સાચી (છે) તેની અનુકૂળતા રહે એટલે સમય હજુ હાથમાં છે. માટે પુણ્યવિજયજી મહારાજ કહે છે કે આપણે મૌનમાં દિવસ પસાર કરીએ છીએ તે ઠીક નહિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252