Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 225
________________ - 1 તેરમા દિવસની કાર્યવાહી ૧૯૯ લા રૂપીયાને વ્યય, આપણી બુદ્ધિને વ્યય અને આપણા કિમતી સમયને વ્યય થાય છે, અને તે પણ આપણે તેને નીકાલ કરવા કઈ કરી શકતા નથી! તે ભવિષ્યમાં આપણે ધમની ઉન્નતિ, પ્રભાવ વગેરે માટે શું કરી શકીશું? આ બધું ખ્યાલમાં લઈ આ પ્રશ્નને નીકાલ ટુંકાણમાં કરી નાખે ઘટે છે અને એ પછી આજે સાધુઓનું જ્ઞાન, આચાર-વિચાર વગેરે કેવા હોવા જોઈએ? સાધુની શિથીલતાદિ નીવારવા શું માગ લે? એ વગેરે માટે વિચારવાનું છે. તથા બીજા મહત્વના પ્રશ્નોને નીકાલ કરવાને છે. હજુસુધી આપણું પતન પૂરું થયું નથી, હજુ આપણે કાંઈજ વિચાર નહિ કરીએ તે ભવિષ્યમાં ઘણું પતન થવાનું એમ લાગે છે. પહેલી તકે આ કરવું જોઈએ. સમય વહી જશે. આ બધી પરિ સ્થિતિને વિચાર કરી આપ સર્વના ચરણમાં મારી વિનતિ છે કેઆય કાંઈ માગે . એકના અનેક અર્થ કરી શકાય, તે શાસ્ત્રોથી જ જે વિચાર કરીશું તે પાર નહિ આવે. માટે એ લાંબે શાસ્ત્ર ચર્ચાને માર્ગ બાજુમાં રાખીને બુઝર્ગો વિચાર કરે. હું સમજું છું કેઆ ચર્ચાને લાંબા વર્ષો વહી ગયા છતાં હજુ હું જ એમાં કાંઈ સમજી શક્યો નથી. માટે શાસ્ત્રોને બાજુ પર રાખીને સમાધાનના પહેલા માગે અવાય તે સારું એમ નથી કહેતે કે-શાસ્ત્રો મૂકી દઈને ચર્ચા કરે. હું તે આ બાબત જલદી પતે એ દષ્ટિએ આ કહું છું. ચિત હોય તે માર્ગ કાઢે. આપણે ભાવિના શ્રમણવર્ગ માટે પણ શું કરવું જોઈએ? આપ સહુ વિચારો, માર્ગદર્શન આપે. આ બાબત બધા જ ઈચ્છે છે, તેથી બધા મુનિવરે તરફથી મારી વિનતિ છે કેલેકસમાજમાં ઘણી જાતની વાત થાય. માટે તેનાથી ઉપસ્થિત થતી પરિસ્થિતિ માટે લેકસમાજના સંકલ્પવિકલ્પમાંથી નીકળી વહેલી તકે આપ સહુ ભગવંતે વિચાર કરી નીવેડે લાવે. આજના લેક . શાહી જમાનામાં સમાજને આના કારણે ઘણું જ અગવડતા પડે છે, તે સૌ વિડ્રિલેએ આ બાબતમાં એગ્ય વિચારણા કરવી ઘટે . ૨-૧૨ થી ૨-૨૦ સુધી મૌન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252