Book Title: Rajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Author(s): Hanssagar
Publisher: Shasan Kantakoddharak Gyanmandir

View full book text
Previous | Next

Page 229
________________ ક તેરમા દિવસની કાર્યવાહી ૨ “આચરણ કરનાર કરતાં પ્રરૂપણું કરનાર વધારે ગુન્હેગાર છે, અમે તે આચરણમાં મૂકીએ છીએ. આચરણ કરતાં પ્રરૂપણા કરનાર વધારે ગુન્હેગાર છે.” એમ રામચંદ્રસૂરિ જ બેલી શકે. આ શાસ્ત્રબાહ્યસિદ્ધાંત? આવી ભાષા? આવી અસંતવ્ય શબ્દોવાળી ભાષા બેલાય? આવી અનુચિત ભાષા બોલાય? અમને આવી ભાષા સંભળાવાય છે તે અમે સાંભળવા આવ્યા નથી–અમે સાંભળવા માંગતા ય નથી. શું કેશવલાલભાઈએ અમને આવી રીતની ખરાબ-અસત્ય-અક્ષ તવ્ય અને અનુચિતભાષા સાંભળવા માટે લાવ્યા છે ? આ બદલ તેઓએ સમજવું જોઈએ. મુનિસંમેલનમાં તેઓ તરફથી આવી રીતે જે કાંઈ અત્યારસુધી બેલાયું છે તે માટે પ્રથમ તે તેમણે પિતાના શબ્દો પાછા ખેંચી લેવા જોઈએ અને મિચ્છામિદુક્કડ દેવે જોઈએ. આવી ભાષા માટે એમણે શ્રમણસંઘ પાસે માફી માગવી જોઈએ એવી મારી નમ્ર વિજ્ઞપ્તિ છે. રામચંદ્રસૂરિ–ગઈકાલે જે મારું નિવેદન કરવામાં આવ્યું તેમાં બુઝર્ગોના જે પાંચ નામે રજુ કર્યા તે એગ્ય નથી કે રેગ્ય છે એ કેઈપણ ધ્વનિ મારા કથનમાં હતા નહિ. એ પાંચ મહાપુરુષોના નામ આપ્યા તે સંબંધમાં હલકો અભિપ્રાય ઉચ્ચાર્યો નથી. આવી રીતે કલ્પી લેવામાં આવ્યું તે ઠીક નથી. તે પાંચને સ્વીકાર નથી કર્યો તેમ કહેવાનું પણ મારે હેતું. તેઓ શાસ્ત્ર વિચારી સમજી શકે તેમ નથી, એ પણ ખરાબ આશય ન હતો. : ' આપણે બધા અહિં શુદ્ધ હેતુથી એકત્રિત થયા છે. જો તેમ ન હેત તે ક્યારનાયે કલ્પનામાં ન આવે તેવી રીતે વતીને છૂટા પડી ગયા હેત. સંઘમાં સૌ એકજ રીતે આરાધના કરી શકે એ માટે સઘલી તિથિઓના શાસ્ત્ર અને શાસ્ત્રશુદ્ધ પરંપરા મુજબ સંગઠ્ઠન રહે તે રીતે નિર્ણય લેવાય એ જ મારા આશય હતું. તેને સફલ કરવા ઘણી ઘણી વાત થઈ તેમાં અમારે માટે પણ વારંવાર કેવું કેવું બેલાયું છે તે પણ બધાને ખબર છે. તે ધ્યાનમાં ન લેતાં અમારા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252