Book Title: Rajchandra
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

Previous | Next

Page 358
________________ ૩૦: ગાંધીજી ઉપરના પત્રો ૧. પ્ર.-“આમા શું છે? તે કંઈ કરે છે ? અને તેને કર્મ નડે છે કે નહિ?” ઉ૦–(૧) જેમ ઘટપટાદિ જડ વસ્તુઓ છે, તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપટાદિ અનિત્ય છેઃ ત્રિકાળ એક સ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવાં નથી. આત્મા એક સ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એ “નિત્ય' પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કેઈ પણ સંયોગથી થઈ શકી ન હોય, તે પદાર્થ “નિત્ય હોય છે. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી; કેમકે જડના હજારોગમે સંગે કરીએ, તો પણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. જે ધર્મ પદાર્થમાં હોય નહીં, તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી તે ઉત્પન્ન થઈ શકે નહિ, એ સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપટાદિ પદાર્થો છે, તેને વિષે જ્ઞાનસ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોનાં પરિણમાંતર કરી સંગ કર્યા હોય, અથવા થયા હોય, તો પણ તે તેવી જ જાતિના થાય. અર્થાત જડસ્વરૂપ થાય, પણ જ્ઞાનસ્વરૂપ ન થાય. તો પછી તેવા પદાર્થના સંગે આત્મા, કે જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણવાળો કહે છે, તે તેવા ઘટપટાદિ (પૃથ્વી, જળ, વાયુ, આકાશી પદાર્થથી ઉત્પન્ન કઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. “જ્ઞાનસ્વરૂપપણું' એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું’ મુખ્ય લક્ષણ જડનું છે. તે બન્નેના અનાદિ સહજ સ્વભાવ છે. આ તથા બીજાં તેવાં સહસ્ત્રગમે પ્રમાણે આત્માને “નિત્ય' પ્રતિપાદન કરી શકે છે. તેમજ તેને વિશેષ વિચાર કર્યો સહજસ્વરૂપ નિત્યપણે આત્મા અનુભવમાં આવે છે, જેથી સુખદુઃખાદિ ભોગવનાર, તેથી નિવૃત્તનાર, વિચારનાર, પ્રેરણું કરનાર, એ આદિ ભાવો જેના વિદ્યમાનપણથી અનુભવમાં આવે છે, તે આત્મા મુખ્ય ચેતન (જ્ઞાન) લક્ષણવાળો છે, અને તે ભાવે (સ્થિતિએ) કરી તે ૩૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378