Book Title: Pushpmalanu Paricharyan
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala Trust Mandal
View full book text
________________
(૭) ઉદ્યમમાં તત્પર થયેલ મનુષ્ય મોટો થઈ પડે છે, ને અપાર સુખ ભોગવે છે. (૮) વખાણ કરનાર સાથે ગુપ્તમંત્ર કરવો નહીં. (૯) જે વસ્તુ દુર્લભ છે તેની ઇચ્છા કરવી નહીં. (૧૦) મીઠી વાણી બોલવી અને દુર્જનને માન ન આપવું-એ બે કામ કરવાથી
મનુષ્ય શોભા પામે છે. (૧૧) વારંવાર કરાતું શુભ કર્મ બુદ્ધિને વધારે છે. (૧૨) અસત્ય બોલીને વિજય મેળવવો, રાજાની પાસે ચાડી ખાવી, વડીલ
સામે મિથ્યા આગ્રહ કરવો, એ બ્રહ્મહત્યા સમાન છે. (૧૩) ઉતાવળ કરવી, પોતાના વખાણ, આળસ, મદમોહ, ચપળતા, વૃથા
વાતો કરવી, ઉદ્ધતપણું, વગેરે વિદ્યાર્થીઓના શત્રુ છે. (૧૪) પુરુષે નિષ્કપટ ભાવથી મિત્રને વશ કરવો, ન્યાયના બળથી શત્રુને વશ
કરવો, ધનથી લોભીને વશ કરવો, કામકાજ કરી રાજાને વશ કરવો, આદરથી બ્રાહ્મણને વશ કરવો, પ્રેમથી સ્ત્રીઓને વશ કરવી, વિવેકથી સંબંધીઓને વશ કરવા, વખાણથી મહાક્રોધીને વશ કરવો, નમ્રતાથી ગુરુજનને વશ કરવા, નવીન વાતો કહીને મૂર્ખજનને વશ કરવો, વિદ્યાર્થી વિદ્વાનને વશ કરવો.

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130