Book Title: Pushpmalanu Paricharyan
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 109
________________ ૧૭૪ સરળતા એ ધર્મનું બીજવરૂપ છે. પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઇ હોય તો આજનો દિવસ સર્વોત્તમ છે. સરળતા: પ્રજ્ઞા વડે સત્યાસત્ય સમજી સરળતા સેવાઈ હોય, તો સરળતા બહુ મોટો ગુણ છે ને મોક્ષ માર્ગમાં બહુ જ ઉપયોગી છે. જ્ઞાની પુરુષની આજ્ઞા એ જ ધર્મ છે. તે ધર્મનું આરાધન જીવ ક્યારે કરી શકે? જીવમાં સરળતા હોય, તો જ્ઞાની પુરુષની આજ્ઞા તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી પાળી શકે ને તો જ તે આત્મધર્મ-કર્મમુક્તિ મેળવી શકે. માટે જ્ઞાનપ્રજ્ઞાએ સદ્ગરને યથાર્થ ઓળખવા. વિવેક જ્ઞાન વડે પારખી શકાય કે આ પુરુષ સાચા છે. એમ પ્રતીતિ પણ આવી શકે છે. “સત્યશોધનમાં સરળતાની જરુર છે.” “જેમ આ પરમ કૃપાળુ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે. તે પુરૂષના લક્ષણ આદિ પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે. તે પુરુષની પ્રતીતિએ મોક્ષમાર્ગ સ્વીકારવા યોગ્ય છે. એવી સુવિચારણા તે ધર્મના બીજ સ્વરૂપ છે.” “જ્ઞાની પુરુષનું જો યથાર્થ ઓળખાણ થાય તો પછી તે જેમ દોરે તેમ દોરાવું, તેની આજ્ઞામાં ૧૦૮

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130