Book Title: Pushpmalanu Paricharyan
Author(s): Bhavprabhashreeji
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 114
________________ પર વિચરી અનેક જીવોને તાર્યા. તે અનંત ગુણના ધણીને તારી દૃષ્ટિમાં લાવી, અભિમાન ગાળી, અહોભાવપૂર્વક સ્મરણ, ચિંતન,ધ્યાન કરવાથી તેવા થવાનો પુરુષાર્થ પ્રગટ થાય છે. “જેમ ભૂંગી ઇલીકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે.’ પ્રભુ ! હું અજ્ઞાની, મોહાંધ ને કર્મદળથી ઘેરાયેલો છું, હું મોહાધીન છું. તું નિર્વિકારી ને હું સવિકારી છું. અશરણ છું, તું શરણદાતા છે; હું શરણે આવ્યો છું. મને હાથ ઝાલીને તારો. એવી અનન્ય પ્રેમભક્તિ અંતરમાં વહે એ મુખ્ય ભક્તિકર્તવ્ય – પ્રભુમાં વહાલપ પ્રગટે તેવો પુરુષાર્થ રાખી આજનો દિવસ શોભાવજો. - ૭૬ સીલવાન સુખી છે, દુરાચારી દુઃખી છે, એ વાત જો માન્ય ન હોય તો, અત્યારથી તમે લક્ષ રાખી તે વાત વિચારી જુઓ. જુગાર, દારૂ આદિ સાત વ્યસનો એ બધાં જ દુરાચાર ગણાય છે. જો તું વ્યસનાધીન હોય તો દુઃખી જ છે. “દુરાચારથી કંઇ સુખ નથી, મનની તૃપ્તિ નથી અને આત્માની મલિનતા છે.” “ખોટા મંડળમાં જઉં નહીં” (ક્લબોમાં) “વેશ્યા ૧૧૩

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130