________________
જવાય છે.”
“નવીન વ્યસન કરતાં અટક” સોપારીની કે તમાકુ વગેરેની બાધા-નિયમ લઈ પછી સોપારીને બદલે ઈલાયચી ખાય ને આખો દિવસ તે જ મોંમા રાખ્યા કરે - એ ટેવ પડી જાય એટલે તેના વિના ન ચાલે! કૃપાળુદેવના પ્રસંગમાં પંડિત લાલનની વાત સાંભળી છે કે, લાલનને સોપારીની ટેવ-વ્યસન હતું. કૃપાળુદેવે પૂછયું: લાલન! તમે શું ખાવ છો? લાલનઃ સાહેબ મારે સોપારીની ટેવ છે. તેના વિના ન ચાલે. ત્યારે કૃપાળુદેવે વ્યસન છોડવા વિશે બોધ આપ્યો, એટલે તેણે બાધા લીધી. સાહેબ હવે સોપારી નહીં ખાઉં – હું નિયમ લઉં છું. ત્યારબાદ ફરીથી એકવાર કૃપાળુદેવ પાસે આવ્યા ત્યારે કૃપાળુદેવે પુછયું કે “લાલન ! તમે સોપારીની તો બાધા લીધી છે ને અત્યારે શું ખાવ છો?
લાલનઃ “સાહેબ, હવે સોપારી નથી ખાતો પણ એલચી મોંમાં રાખું છું. ત્યારે કુપાળુદેવે કહ્યું કે રૂપિયા ન રાખવા અને પૈસા રાખવા તે સરખું જ છે કેમ કે અધ્યાસ ન ગયો'.
૯૧