________________
૯૫
એ સર્વ લક્ષણસંયુક્ત થવા જે પુરુષ વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે તેનો દિવસ આપણને માનનીય છે.
સપુરુષ જેવી પોતાની દશા–આત્મદશા–જ્ઞાનદશા–વિદેહદશા દસ વર્ષની વયે જે બાળ મહાત્મા આ બોધ આપે છે. બાળવયમાં તે પુરુષની પોતાની બધી જ વિદેહીદશા હતી. સમુચ્ચયવયચર્યામાં જણાવે છે કે “વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની. ખાવાપીવાની, સૂવાબેસવાની બધી વિદેહી દશા હતી; તે વેળા પ્રીતિ – સરળ વત્સલ્યતા – મારામાં બહુ હતી; સર્વથી એકત્વ ઇચ્છતો; સર્વમાં ભાતૃભાવ હોય તો જ સુખ, એ મને સ્વાભાવિક આવડયું હતું.” “લોકોમાં કોઈ પણ પ્રકારથી જુદાઈના અંકુરો જોતો કે મારું અંતઃકરણ રડી પડતું.”
એ દેવાંશી પુરુષ આપણને માનનીય છે. શતઃ શતઃ વાર વંદનીય છે.
૧૦૧