Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 147
________________ વિખરાઈ ગયા. આવું કંઈ એક વાર બન્યું નથી. અનંતવાર આ મનાદિયોગ તેં ધારણ કર્યા, છોડ્યા, દરેક જન્મે વળી નવો પ્રયાસ. એકેન્દ્રિયપણે હતો ત્યારે તને ફક્ત એક શરીરનો જ યોગ હતો. બે ઇન્દ્રિયપણું પામ્યો ત્યારે અવ્યક્ત પણ વાચાયોગ મળ્યો. જ્યારે પંચેન્દ્રિયપણું મન સહિત પામ્યો ત્યારે સ્પષ્ટ વાચા અને મન મળ્યાં. તે પણ અનંતીવાર મળ્યાં. આજે પણ મળ્યાં છે. પરંતુ તેથી તને લાભ શું છે ? શરીર વડે તે ભોગ ભોગવ્યા. વચન વડે તે ચતુરાઈ દાખવી, મન વડે તો તું કેટલાયે તરંગોમાં ઊછળ્યો, છતાં કશું હાથ ન આવ્યું. એવું અનંતીવાર થવા છતાં તે સંતુષ્ટ કેમ ન થયો ! એ પુદ્ગલનું લક્ષણ સંતોષ આપવાનું છે નહિ. સંતોષ તારે તારા વિચારમાં, વૃત્તિમાં કે વાસનામાં કરવાનો છે. પુદ્ગલનો દોરવાયો તું દોરાય છે. પરંતુ જ્યારે તારામાં સંતોષવૃત્તિ થશે ત્યારે તું પુદ્ગલને દોરીશ, તેવું તારું સામર્થ્ય છે. આ જન્મ અને પૂર્વ જન્મોમાં પુદ્ગલ-જડ અનાત્મા સાથે ગાઢ પરિચય થયો છે. તેથી પદાર્થો સાથે તે એકરૂપ થઈ ગયો છું. તેથી આત્માનો પરિચય કઠણ થઈ પડ્યો છે. જે સમયે અનાત્મબુદ્ધિ વિરામ પામશે તે સમયે જ તું મુક્ત છું. જ્યાં હું મન વચન કે તનરૂપ છું. તેવું ભાન રહેશે ત્યાં સુધી આ ત્યાગગ્રહણનું ચક્ર ચાલુ રહેશે. જે પદાર્થો તારી જાતના નથી, વિજાતીય છે તેને તું અજ્ઞાનથી ગ્રહણ કરે છે અને પાછો ત્યજી દે છે. વમન કરેલા પુનઃ પ્રહણ કરે છે. તે તને પ્રિય લાગે છે. વાસ્તવમાં ઘણા જન્મ માનવદેહને આવા મનાદિ યોગની પ્રાપ્તિ થાય છે. પરંતુ અનાત્મબુદ્ધિને કારણે, તેનાં તાદાભ્યને કારણે તેને તે યોગનો આત્મિક લાભ થતો નથી. જો આ યોગની શુદ્ધિ થાય તો આ ત્રણે યોગ મુક્તિગમનનાં સાધન બને તેમ છે. ધન્ય ધન્ય જગમેં તે પ્રાણી, જે નિત રહત ઉદાસ, શુદ્ધ વિવેક હિયેમેં ધારી, કરે ન પરકી આસ. ૧૩૬ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180