Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 150
________________ જનની માની છે. સમતાથી પોતાનાં વૈરાગ્યરૂપે સંતાને જન્મ લીધો છે. સમતાના શિખર પર આરૂઢ યોગીજનોને વિશ્વમાં કંઈ વિષયતા નથી. ભગવાન મહાવીર પોતાના જીવનથી મૌનપણે આપણને સમતાની અદ્ભુત શીખ આપી છે. ચંડકૌશિકે દ્વેષથી ડંખ માર્યા, ભગવાને પૂર્ણ સમતાથી તેને બુઝવ્યો. શૂલપાણિએ પૂરી રાત્રી પ્રભુને વિઘ્નોથી વીંટાળી દીધા. ભગવાને તેને મૈત્રીભાવથી જીતી લીધો. અને સંગમે તો જાણે પ્રભુનું શરીર નિર્જીવ લાકડું હોય તેમ સિતમ ગુજાર્યો. ત્યારે પ્રભુએ કરુણા વરસાવી. સમતાના ભંડાર પ્રભુએ સમતાના વિવિધ રૂપે દર્શન કરાવી આપણને અદ્ભુત વારસો આપ્યો છે. પરમાર્થે જવા આ સમતા અમોઘ સાધન છે. જગતમાં પ્રપંચો, વિષમતા, સંઘર્ષો કે વિચિત્રતા જેવાં પરિબળોનું જોર અહમતાને અને મમતાનાં ક્ષેત્રમાં છે. જ્યાં સમતા છે, ત્યાં આવાં દુ:ખદાયક પરિબળો કામ કરતાં નથી પરંતુ જેણે સમતા આરાધી નથી તેને સમતાના સુખની ખબર નથી. સમતા સ્વયં આત્માની એક શક્તિરૂપે પ્રગટે છે ત્યારે તેમાં બીજી અનંત શક્તિ ભળીને આત્માના સમગ્ર ઐશ્વર્યને પ્રગટ કરે છે. સમતાનું અસ્તિત્વ એવું છે કે ચિત્તમાં રાગ-દ્વેષનું દ્વંદ્વ થવા ન દે. અહંમતાને સ્થાને પોતાનું પ્રભુત્વ જમાવે. સમતાવાન જીવને જગત આત્મવત્ લાગે છે. સર્વોત્કૃષ્ટ સમતા મુનિઓની છે. જેમનું ચિત્તનિરંતર આત્મસ્વરૂપમાં રમણ કરે છે. તેવી અનુપમ સમતાના તે સ્વામી છે. બાહ્ય કે અંતરંગ વિષયો, પરિગ્રહ વૃત્તિઓ કે વાસનાઓનો જેમણે ક્ષય કર્યો છે તે મુનિજનોની સમતા આત્મરૂપ છે. નિર્જીવ લાકડા ૫૨ ઘા કરે કે ચંદનનો લેપ કરો તેને કોઈ ભેદ નથી. મુનિની ચેતના સમતામાં છે, તેથી તેમને ઘા અને લેપ સમાન છે. અર્થાત્ તેમને માન-અપમાન સમાન છે. માટી અને સોનું બંને પૃથ્વીતત્ત્વ સમાન છે. આ પદાર્થમાત્રના ભેદ જેમને ભૂંસાઈ ગયા છે, ઇષ્ટાનિષ્ટવૃત્તિ જેમની લય પામી છે તે મુનિ સમતારસના દરિયા છે. આવી સમતામાં જ્ઞાન, ધ્યાન, તપ, જપ કે અનુષ્ઠાન સર્વે પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only ૧૩૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180