Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 159
________________ સ્પર્શ કરતું નથી. તું સમજદાર માનવ જેનાથી દુ:ખ પડે છે તેને જ પુનઃ પુનઃ વળગે છે. તેં માતા પ્રત્યે રાગ કર્યો. પત્ની આવતાં તું પત્નીના મોહથી પ્રભાવિત થયો, મા પ્રત્યે દ્વેષ થયો. પત્ની પ્રત્યે રાગ થયો. વળી તું કોઈ અન્ય સ્ત્રીના પરિચયમાં આવ્યો, પત્ની પ્રત્યે દ્વેષ થયો. તેનું મરણ ઇચ્છવા સુધી તું અધમ બન્યો, કારણ કે અન્ય સ્ત્રી પ્રત્યે રાગ થયો. પુત્ર જન્મ્યો, રાગવશ તેને ઉછેરવા રાત્રીના ઉજાગરા કર્યા. પુત્ર મોટો થયો, કંઈ મેળ ન જામ્યો ત્યારે પુત્ર પ્રત્યે રાગ દૂર થઈ ગયો. મિત્રો વચ્ચે સ્વાર્થ જેવાં પરિબળોએ રાગને બદલે દ્વેષ પેદા થયો. આવા રાગને હૃદયમાં ધારણ કરીને તું શું સુખ પામ્યો ? હે ચેતન ! તેં જોયું કે રાગ કરવામાં કંઈ સુખ નથી તો પછી હવે એક વાર રાગ ત્યજીને પ્રયોગ કર કે રાગરહિત દશામાં સુખ છે કે નહિ ? પ્રથમ હૃદયમાં વિવેકને સ્થાન આપ. ચક્ષુને ખુલ્લાં રાખી જગતનું વાસ્તવિક સ્વરૂપ જો ચારેબાજુ લોભ, મોહ, સ્વાર્થ જેવાં દૂષણો દ્વારા જીવો દુઃખી થઈ રહ્યા છે. તેના મૂળમાં રાગ અને દ્વેષ છે. જેમણે વિવેકપૂર્વક આત્માને રાગભાવથી ભિન્ન કર્યો છે. રાગને સ્વસ્વરૂપ માન્યું નથી તે જીવો સુખ પામ્યા છે. રાગ-દ્વેષ એ કર્મબંધનાં મુખ્ય કારણ છે. રાગ છે ત્યાં દ્વેષ હોય છે. આ રાગ-દ્વેષ સંસારરૂપી રથના ચાલક છે. જો રાગદ્વેષરૂપી પૈડાને દૂર કરવામાં આવે તો સંસારચક્ર-ભવચક્ર સમાપ્ત થાય. જ્યાં સુધી રાગ-દ્વેષનું યંત્ર ચાલુ છે ત્યાં સુધી જીવ નિરંતર કર્મથી બંધાયેલો રહેવાનો છે. પરંતુ સ્વ-પરનો ભેદરૂપી વિવેક જ્યારે જન્મે છે ત્યારે કર્મબંધનથી સર્વથા મુક્તિ થાય છે. કર્મથી સર્વથા મુક્તિ થવી તે જ માનવચેતનાની સફળતા છે. કર્મરૂપી પિંજરના બંધનમાં રહેવું તે વ્યર્થતા છે. આ જન્મથી કે પૂર્વજન્મથી મારો યોગ પુદ્ગલ-જડ-અનાત્મા સાથે થયો છે. અને મારા સ્વરૂપને તે પદાર્થો સાથે એકરૂપ માનું છું. તેથી મને આત્માનો પરિચય કઠણ લાગે છે. જે સમયે અનાત્માથી મારો વિયોગ થશે તે જ સમયે હું મુક્ત ૧૪૮ Jain Education International પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180