Book Title: Pudgalno Parihar Parmarthni Prapti
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 165
________________ ધારણ કરે છે, તે જીવ છે. અનુભવમાં આવવા યોગ વ્યવહાર કથનથી અજ્ઞાન દશામાં જીવ શુભાશુભ કર્મોનો કર્તા હોવાથી ભોક્તા છે. તેના સુખ દુઃખના અનુભવવાળો છે. કર્મોનો કર્તા છે. નિશ્ચયપક્ષથી શુદ્ધ આત્મા પરભાવ કે કર્મોનો કર્તા નહિ હોવાથી ભોક્તા પણ નથી. કેવળ પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ શક્તિ ઈત્યાદિનો કર્તા હોવાથી તેનો ભોક્તા છે. સત, ચિત્, આનંદ સ્વરૂપ છે. સંસારમાં નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવપણે જીવ હોય છે. ૨. અજીવઃ જેનામાં ચેતન, જીવ, કે પ્રાણ નથી. જેને સુખ-દુઃખનો અનુભવ નથી. તે પૌદ્ગલિક પદાર્થો ઉપરાંત ધર્માસ્તિકાયાદિ પદાર્થો છે. શરીર, ખાટલા, પાટલા, વસ્ત્ર, પાત્ર, હીરા, મોતી વગેરે તમામ ભૌતિક કે પૌદ્ગલિક પદાર્થો અજીવ છે. ૩. પુણ્ય : શુભ કર્મ – જેના ઉદયથી જીવને સુખભોગની સામગ્રી મળે, સુખનો અનુભવ થાય. ૪. પાપ ? અશુભ કર્મ – જેના ઉદયથી જીવને સુખભોગની સામગ્રી મળે. દુઃખનો અનુભવ થાય. ૫. આશ્રવ : કર્મનું આવવું – નૌકામાં છિદ્ર દ્વારા જેમ પાણી આવે, તેમ જીવના શુભાશુભ પરિણામ દ્વારા કર્મોનું આવવું તે શુભ કે અશુભ આશ્રવ છે. ૬. સંવર : આત્માની વિશિષ્ટ શક્તિ વડે આવતાં કર્મોનું રોકાઈ જવું. રાગાદિ ભાવોનું રોકાઈ જવું. ૭. નિર્જરા : ખરી જવું, નિર્જરવું, આત્માની વિશુદ્ધ શક્તિ વડે દ્રવ્ય કર્મોનો અંશે અંશે નાશ થવો. રાગાદિ ભાવકર્મોનો નાશ થવો. ૮. બંધ : અજ્ઞાન દશામાં જીવના પરિણામનું નિમિત્ત પામી કર્મોનું પ્રદેશો સાથે દૂધ – પાણીની જેમ ભળી જવું અથવા લોખંડ અને અગ્નિની જેમ સંબંધ થવો. ૯. મોક્ષ : સંપૂર્ણ કર્મોનો સર્વથા નાશ થવો અને આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રગટ થવું. ૧૫૪ પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180